સ્વાસ્થ્ય: શું તમે પણ કાળઝાળ ગરમીમાં શેરડીનું જ્યુસ પીવો છો? તો સાવધાન, સ્વાસ્થ્ય પર થઈ શકે છે ગંભીર અસર…

WhatsApp Group Join Now

શેરડીનું જ્યુસ શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપનાર છે. આપણામાંના ઘણા તેને પીવાનું પસંદ કરે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં શેરડીનો રસ તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.

મુખ્યત્વે જો તમે કેટલીક સાવચેતી ન રાખો તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ સખત તાપમાં શેરડીનો રસ પીવાથી શું નુકસાન થાય છે?

બેક્ટેરિયલ ચેપનું જોખમ

તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીમાં રસ ઝડપથી બગડી શકે છે. જો શેરડીને ખુલ્લામાં રાખવામાં આવે અથવા સાફ ન કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા અને ફૂગ વધી શકે છે. તેનાથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા અથવા ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

સુગર લેવલ અચાનક વધી શકે છે

તેજ ધૂપમાં રાખેલ શેરડીનું જયુસ પીવાથી અચાનક સુગર લેવલ વધી જાય છે. તેજ ધૂપમાં શરીર પહેલાથી જ ડિહાઇડ્રેઇટ હોય છે. આ રીતે આ સમયે જ જ્યુસ પીવું સુગરને સ્પાઇક કરી શકે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી સાબિત થાય છે.

વાસી કે ભેળસેળયુક્ત રસથી ખતરો

શેરડીના જ્યુસમાં વધુ બરફ નાખવામાં આવે છે. જે સ્વચ્છ હોતું નથી. ઉનાળામાં આ ભેળસેળ વધુ ખતરનાક બની શકે છે.

રોગપ્રતિકારક શક્તિ પર અસર

ચેપગ્રસ્ત અથવા દૂષિત શેરડીનો રસ પીવાથી ઝેર શરીરમાં પ્રવેશી શકે છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. તેથી, સૂર્યપ્રકાશમાં રાખવામાં આવેલ શેરડીનો રસ પીવાનું ટાળો.

શેરડીનો રસ પીતી વખતે આ સાવધાની રાખો

શેરડીનો રસ હંમેશા ચોખ્ખી જગ્યાએથી તાજો કાઢેલો પીવો. જ્યુસ પીતા પહેલા જ્યુસ મશીનની સ્વચ્છતા તપાસી લો. ભારે ભોજન ખાધા પછી અથવા ખાલી પેટે તરત જ પીવું નહીં.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ધોમધખતા તાપમાં પરસેવો પાડ્યા પછી થોડો આરામ કરો અને પછી શેરડીનો રસ પીવો. ડાયાબિટીસના દર્દીઓએ તો આ જ્યુસ પીવાનું ટાળવું જ હિતાવહ છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment