આપણી જીવનશૈલી એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે આપણી પાસે પોતાના માટે પણ સમય નથી. આના કારણે મગજને આરામ મળતો નથી અને મગજની સમસ્યાઓ શરૂ થાય છે.
આપણે વધુ પડતાં કામ કે સ્ટ્રેસને સામાન્ય ગણીએ છીએ. પરંતુ તેના કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે. ખાસ કરીને કામની સાથે આરામ અને પૂરતી ઊંઘ પણ જરૂરી છે. જેના અભાવને કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
બ્રેઈન ફોગ શું છે?
બ્રેઈન ફોગ એ કોઈ રોગ નથી, પરંતુ તે એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને વિચારવામાં, સમજવામાં, યાદ રાખવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે.

આ સમસ્યા માનસિક થાક, તણાવ, ખરાબ જીવનશૈલી અથવા અમુક રોગોને કારણે થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને બ્રેઈન ફોગ હોય છે, ત્યારે તે રોજિંદા કાર્યો કરવામાં પણ અસ્વસ્થતા અનુભવે છે.
બ્રેઈન ફોગના લક્ષણો
બ્રેઈન ફોગના લક્ષણો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ કેટલાક લક્ષણો સામાન્ય છે.
નબળી યાદશક્તિ – નાની નાની બાબતો ભૂલી જવું, જેમ કે તમે તમારી ચાવીઓ ક્યાં મૂકી છે તે ભૂલી જવું અથવા કોઈનું નામ યાદ ન રહેવું.
ધ્યાનનો અભાવ – કોઈપણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું, વારંવાર મન ભટકી જવું
માનસિક થાક – માનસિક રીતે થાક લાગવો, જેના કારણે સુસ્ત અને આળસ અનુભવવી
નિર્ણય લેવામાં મુશ્કેલી– સ્પષ્ટ વિચારો ન હોવા, નિર્ણય લેવામાં મુશ્કેલી થવી
ભાષાની સમસ્યાઓ – શબ્દો યાદ ન રહેવા અથવા બોલતી વખતે મુશ્કેલી અનુભવવી
મૂડ સ્વિંગ – ચીડિયાપણું, તણાવ અથવા ઉદાસી અનુભવવી
બ્રેઈન ફોગના કારણો
બ્રેઈન ફોગ ઘણા કારણોસર થઈ શકે છે, જેમ કે-
તણાવ અને ચિંતા– લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી કોર્ટિસોલ હોર્મોન વધે છે, જે મગજની કાર્ય કરવાની ક્ષમતાને અસર કરે છે
ઊંઘનો અભાવ– પૂરતી ઊંઘનો અભાવ મગજને આરામ કરવા દેતો નથી, જેના કારણે બ્રેઈન ફોગ થઈ શકે છે.
અયોગ્ય ખોરાક – વિટામિન B12, વિટામિન D, ઓમેગા-3 અને આયર્નની ઉણપ માનસિક નબળાઈનું કારણ બને છે
ડિહાઇડ્રેશન– પાણીની અછત મગજને સુસ્ત બનાવે છે
હોર્મોનલ અસંતુલન – થાઇરોઇડ અથવા મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ફેરફારો બ્રેઈન ફોગનું કારણ બની શકે છે
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કેટલીક દવાઓ – એન્ટીડિપ્રેસન્ટ્સ અથવા બ્લડ પ્રેશરની દવાઓ – ની આડઅસર પણ હોઈ શકે છે
ક્રોનિક રોગો – ડાયાબિટીસ, ફાઈબ્રોમીઆલ્ગીઆ, સહિતની વિકૃતિઓ પણ બ્રેઈન ફોગનું કારણ બની શકે છે
બ્રેઈન ફોગનું નિવારણ
- સ્વસ્થ આહાર લો
- ઓમેગા-૩ ફેટી એસિડ જે અખરોટ, અળસીમાથી મળે છે તે મગજ માટે ફાયદાકારક છે
- એન્ટીઑકિસડન્ટ્સ બ્લુબેરી, ડાર્ક ચોકલેટ, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ
- પ્રોટીન અને ચરબીવાળો ખોરાક જેવો કે બદામ, એવોકાડો ખાઓ.
- ખાંડ અને પ્રોસેસ્ડ ખોરાક ખાવાનું ટાળો
- પુષ્કળ ઊંઘ લો
- દરરોજ 7-8 કલાકની ગાઢ ઊંઘ લો
- સૂતા પહેલા મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ ઓછો કરો
- તણાવ ઓછો કરો
- ધ્યાન અને યોગ કરવાથી મન શાંત રહે છે
- ઊંડા શ્વાસ લેવાની કસરતો જેવી જે અનુલોમ-વિલોમ કરવાથી તણાવ ઘટે છે
- શારીરિક પ્રવૃત્તિ વધારો
- દરરોજ 30 મિનિટ કસરત કે ચાલવાથી મગજ તેજ બને છે
- હાઇડ્રેટેડ રહો- દિવસભરમાં 8-10 ગ્લાસ પાણી પીવો
- મગજની કસરતો કરો
- કોયડા ઉકેલવા, નવી ભાષા શીખવા અથવા વાંચવાની ટેવ વિકસાવવાથી મન તેજ બને છે
- જો બ્રેઈન ફોગ લાંબો સમય રહે તો ડૉક્ટરની સલાહ લો
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.