દાળ-ચોખા અને લોટ ભારતીય કિચનમાં રહેલી એક એવી વસ્તુ છે જેને લોકો વધારે માત્રામાં સ્ટોર કરીને રાખે છે કારણકે તેનો ઉપયોગ સામાન્ય રીતે દરરોજ કરવામાં આવે છે અને તેનો વપરાશ અન્ય રાશનની સરખામણીએ વધારે થાય છે. પરંતુ ઘણીવાર બરાબર રીતે સ્ટોર ન કરવાના કારણે તે ખરાબ થવા લાગે છે અને તેમાં જીવાત કે ધનેડા પડી જાય છે.
જ્યારે આ જીવાત ઓછી માત્રામાં હોય કે પછી યોગ્ય સમયે દેખાઇ જાય તો તેને સાફ કરવુ સરળ છે. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે તેમાં જીવાતની માત્રા વધી જાય અને તેને સાફ કરવુ મુશ્કેલ બની જાય. તેને જોઇને આ અનાજ ખાવાની ઇચ્છા પણ નથી થતી. તેવામાં તેને ફેંકવાનું મન નથી થતુ કે તેને ખાઇ પણ ન શકાય.

તમને જણાવી દઇએ કે અનાજમાં ધનેડા પડવાનું એક કારણ તેને બરાબર રીતે સ્ટોર ન કરવુ પણ છે. જ્યારે તમે તેને બરાબર રીતે સ્ટોર નહી કરો તો તેમાં જીવાત કે ધનેડા પડી જાય છે.
આજે અમે તમને એવા ઘરગથ્થુ નુસખા વિશે જણાવીશું જેની મદદથી તમે સ્ટોર કરેલી વસ્તુઓને જીવાત-ધનેડાથી દૂર રાખી શકો છો. ચાલો જાણીએ અનાજને ધનેડા પડવાથી કેવી રીતે બચાવી શકાય છે.
દાળ-ચોખાને જીવાત પડવાથી કેવી રીતે બચાવવા
અનાજમાં જીવાત ન પડે તેના માટે તમારે જે વસ્તુની જરૂર છે તે તમને કિચનમાં જ મળી જશે. જણાવી દઇએ કે, કિચનમાં રહેલી અન્ય વસ્તુઓની મદદથી અનાજમાં જીવાત પડવાથી બચાવી શકાય છે.
હીંગ
જણાવી દઇએ કે, હિંગનો ઉપયોગ કરીને અનાજમાં જીવાત પડવાથી બચાવી શકાય છે. હિંગનો ઉપયોગ રસોઇ કરવા માટે થાય છે. તેની સુગંધ એટલી તેજ હોય છે કે રસોઇમાં સ્વાદની સાથે એક અલગ જ સુગંધ પણ લાગે છે.
જણાવી દઇએ કે હિંગની તેજ સુગંધ અનાજમાં પડેલી જીવાત અને ધનેડાને દૂર ભગાડવામાં મદદ કરે છે. તમે તેને તમારા કંટેનરમાં રાખી શકો છો. તેનાથી કોઇ નુકસાન પણ નહીં થાય.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તમારે હિંગને એક કપડામાં બાંધીને પોટલી બનાવવાની છે. હવે આ પોટલીને દાળ, ચોખા, વટાણા જેવા આખા અનાજના કન્ટેનરમાં મુકી દેવાની છે. ધ્યાન રાખો કે હિંગને કપડાના અનેક લેયરથી બનાવેલી પોટલીમાં રાખવાની છે. તેનાથી અનાજમાં હિંગની વાસ નહીં બેસે.
તમાલપત્રનો ઉપયોગ કરો
તમાલપત્રની સુગંધ જ્યાં એક તરફ રસોઇનો સ્વાદ વધારે છે તો તે અનાજમાંથી જીવાત દૂર રાખવાનું પણ કામ કરે છે. જો તમારા દાળ કે ચોખામાં વારંવાર જીવાત પડી જતી હોય તો તમે આ ડબ્બામાં થોડા-થોડા દિવસે ફ્રેશ તમાલપત્ર નાખી દો. તેનાથી જીવાત દૂર રહેશે.
લીમડાના પાનનો ઉપયોગ કરો
જો તમારા ઘરની આસપાસ લીમડાનું ઝાડ હોય તો તમે તેના પાનની મદદથી તમારા ચોખા અને દાળને જીવાતથી બચાવી શકાય છે. તેના માટે તમારે એક મલમલના કપડામાં લીમડાના સુકા પાન બાંધી લેવાના છે અને પોટલીને ડબ્બામાં નાખી દો. જીવાત નહીં પડે.
લવિંગનો ઉપયોગ કરો
લવિંગની મદદથી તમે ચોખા અને દાળને જીવાતથી બચાવીને રાખી શકો છો. તેના માટે તમને લવિંગને આ ડબ્બામાં રાખી દો. જીવાત અનાજથી દૂર રહેશે. આ સિવાય કીડીઓ પણ નહીં આવે. તમે લવિંગનું તેલ પણ યુઝ કરી શકો છો.