શું તમે પણ પ્રધાનમંત્રી મોદીને મળવા માંગો છો? કેવી રીતે મળે છે એપોઇન્ટમેન્ટ? અહીં જાણો સંપુર્ણ માહિતી…

WhatsApp Group Join Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. દેશના લોકો તેમને ખૂબ પસંદ કરે છે અને તેમને મળવા પણ માંગે છે.

ઘણા લોકો એવા છે જે દેશ માટે કેટલાક સૂચનો આપવા માટે વડાપ્રધાનનો સંપર્ક કરવા માંગે છે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા દરરોજ ટ્વિટર પર આવતી સરેરાશ કોમેન્ટની લિસ્ટ તૈયાર કરીને પીએમ નરેન્દ્ર મોદી સાથે શેર કરવામાં આવે છે.

એવામાં જો તમે પણ પ્રધાનમંત્રીનો સીધો સંપર્ક કરવા માંગતા હો, તો ચાલો જાણીએ કે પીએમ મોદીનો સંપર્ક કેવી રીતે કરી શકાય છે.

ફોન નંબર અને નમો એપ દ્વારા કરી શકાય છે સંપર્ક

પ્રધાનમંત્રી કાર્યાલયની સત્તાવાર વેબસાઇટ, pmindia.gov.in અનુસાર, જો તમે પીએમ મોદીનો સંપર્ક કરવા માંગતા હો, તો તમે પીએમની વેબસાઇટ પર આપેલા ફોન નંબર દ્વારા તેમનો સંપર્ક કરી શકો છો. આ માટે તમારે આપેલા નંબર +91-11-23012312 પર કૉલ કરવાનો રહેશે.

આ સાથે, ફેક્સ નંબર 91-11-23019545, 23016857 પણ આપવામાં આવ્યા છે. NaMo Android એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ PM નરેન્દ્ર મોદીને મેસેજ કરી શકાય છે અને તેમની સાથે જોડાયેલા રહી શકાય છે.

સત્તાવાર સરનામું

તમે સીધા પીએમને તેમના ઓફિશિયલ સરનામે પત્ર લખી શકો છો. અહેવાલો અનુસાર, પીએમ મોદીને દેશભરમાંથી દરરોજ 2 હજારથી વધુ પત્રો મળે છે. આ માટે, તમે ‘ભારતના માનનીય પ્રધાનમંત્રી, 7 રેસ કોર્સ રોડ, નવી દિલ્હી’ લખીને પણ પત્ર મોકલી શકો છો.

સોશિયલ મીડિયા

આ ઉપરાંત, તમે સોશિયલ મીડિયા દ્વારા પણ પીએમનો સંપર્ક કરી શકો છો. તમે પીએમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ https://www.instagram.com/narendramodi દ્વારા પણ તેમનો સંપર્ક કરી શકો છો. ફેસબુક વિશે વાત કરીએ તો, તમે નરેન્દ્ર મોદી ફેસબુક પેજ અથવા fb.com/pmoindia પર જઈને ફેસબુક દ્વારા પણ પ્રધાનમંત્રી સુધી તમારો મેસેજ પહોંચાડી શકો છો.

આ સિવાય એક્સ (અગાઉ ટ્વિટર) દ્વારા પણ પીએમ સુધી તમારો મેસેજ પહોંચાડી શકો છો અથવા @PMOIndia અથવા @Narendramodi પર ટ્વીટ કરીને તેમને પ્રશ્ન પૂછી શકો છો. જણાવી દઈએ કે, પીએમ મોદીના ટ્વિટર પર 105.9 મિલિયન ફોલોઅર્સ છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જો તમે કોઈપણ ફરિયાદ પીએમ મોદી સુધી પહોંચાડવા માંગતા હો, તો તમે પીએમ ઓફિસની સત્તાવાર વેબસાઇટ https://www.pmindia.gov.in/ પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ એક સત્તાવાર પોર્ટલ છે, જે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા માટે બનાવવામાં આવ્યું છે.

આ રીતે પૂછી શકાય પીએમને સવાલ

વિચારો શેર કરવા માટે, www.mygov.in પર જઈને તમારા સૂચનો અથવા વિચારો શેર કરી શકાય છે. આ ઉપરાંત, તમે RTI દ્વારા PMO ને સવાલ પૂછી શકાય છે. આ ઉપરાંત, તમે https://pmopg.gov.in/CitizenReforms/Registration/Index પર જઈને કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકો છો.

WhatsApp Group Join Now

Leave a Comment