નારિયેળ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. નારિયેળમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા તત્વો હોય છે.
આ માટે એક્સપર્ટ પણ નારિયેળ પાણી પીવાની સલાહ આપે છે. ખાવાની વાત કરવામાં આવે તો નારિયેળની ચટણી કે પછી મીઠાઈ પણ ખાવાની મજા આવે છે. પરંતુ જ્યારે નારિયેળ છોલવાની વાત આવે ત્યારે દરેક લોકો માટે આ કામ અઘરું બની જાય છે.

સૂકું નારિયેળ છોલવું સરળ છે, પરંતુ પાણીવાળા નારિયેળ તોડવાનું કામ અઘરું બની જાય છે. સામાન્ય રીતે અનેક લોકોની ફરિયાદ હોય છે કે નારિયેળ છોલવાનું કામ બહુ અઘરું હોય છે.
નારિયેળ છોલતા હાથમાં ક્યારેક વાગી પણ જાય છે. આમ, તમારી સાથે પણ આવું થાય છે તો હવે તમારે કંટાળવાની જરૂર નથી. તમે આ સરળ રીતથી મિનિટોમાં નારિયેળને તોડી શકો છો.
નારિયેળ તોડવાની સરળ રીત
હથોડાનો ઉપયોગ કરો
નારિયેળ તોડવા માટે સૌ પ્રથમ ઉપરથી છોલી દો. આમ કરવાથી નારિયેળ સરળતાથી તૂટી જાય છે. ત્યારબાદ કોઈ એવી ભારે વસ્તુ લો જે તમે નારિયેળ પર મારશો તો નારિયેળ ઝડપથી તૂટી જશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
હંમેશા નારિયેળને વચ્ચેના ભાગથી તોડો. આમ કરવાથી તરત બે ટુકડા થઈ જશે. એકવાર તૂટી જાય ત્યારે તમે બટર નાઈફ તેમજ ચમચીની મદદથી અંદરથી નારિયેળ કાઢી શકો છો.
સ્ક્રુડ્રાઈવરથી તોડો
એક સ્ક્રુડ્રાઈવર લો અને જે જગ્યા પર નારિયેળની ત્રણ આંખો બનતી હોય ત્યાં એના ઉપરની એક લાઈનને ધ્યાનથી જુઓ અને નારિયેળ તોડવાની કોશિશ કરો. આમ કરવાથી નારિયેળ બે ભાગમાં મિનિટોમાં તૂટી જશે. આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે.
ફ્રિજમાં મૂકો
એક નારિયેળ લો અને નારિયેળને પ્લાસ્ટિકના પેકેટમાં લપેટી દો. નારિયેળને 5 થી 6 કલાક માટે તેમજ આખી રાત ફ્રિજમાં મૂકી દો. હવે નારિયેળ ફ્રિજમાંથી કાઢી દો અને પ્લાસ્ટિક હટાવી દો.
આ પછી અડધો કલાક માટે બહાર રહેવા દો. હવે હથોડીની મદદથી નારિયેળ તોડો. આમ કરવાથી છાલ પણ મિનિટોમાં નીકળી જશે. આમ, તમે આ રીતથી મિનિટોમાં નારિયેળ છોલીને તોડી શકશો.