× Special Offer View Offer

શું વાસી થૂંક લગાવવાથી ખીલ મટી જાય? જાણો આ નુસખો કેટલો અસરકારક છે?

WhatsApp Group Join Now

ચહેરા પર ખીલ થવા સામાન્ય બાબત છે. ખીલ તમારી સુંદરતા બગાડવાનું કામ કરે છે. આમ, ચહેરા પર ખીલ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ખીલ દૂર કરવા માટે લોકો મોંઘી-મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ બધી કેમિકલ પ્રોડક્ટ્સ સ્કિનને લાંબે ગાળે નુકસાન કરે છે.

આ ઘરેલુ ઉપાયો ખીલ દૂર કરવામાં મદદ કરે છે.આ ઘરેલુ ઉપાયોમાંથી એક વાસી થૂંક પણ છે. તમે અનેકવાર સાંભળ્યું હશે કે દાદી-નાની વાસી થૂંક લગાવવાથી ખીલ જલદી મટી જાય એવું કહેતા હતા. તો શું આ ખરેખર સાચું છે? તો જાણો આ વિશે વધુમાં…

કેટલો અસરકારક છે આ નુસખો?

  • આ વાતને લઈને એનઆઇએચ દ્વારા એક શોધ કરવામાં આવી છે. આ શોધમાં ચાર લોકોનાં લાળનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. રિસર્ચ અનુસાર જોવા મળ્યું કે હ્યુમન સલાઇવા ક્યુટીબેક્ટેરિયમ બેક્ટેરિયાને રોકવામાં પ્રભાવી રીતે કામ કરે છે.
  • આમ, તમને જણાવી દઈએ કે આ બેક્ટેરિયા સામાન્ય રીતે એક્નેનું કારણ બને છે. ન્યૂનત્તમ અવરોધક ગતિવિધિ અને ડિસ્ક ડિફ્યુઝન ટેસ્ટથી એ વાત સાબિત થઈ કે લાળમાં આ બેક્ટેરિયા રોકવાની ક્ષમતા હોય છે. આ સિવાય રિસર્ચ દરમિયાન એ વાત જાણવા મળી કે સવારની તુલનામાં બપોરની લાળ કરતાં બેક્ટેરિયા રોકવામાં વધારે પ્રભાવી હતા.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
  • એનઆઇએચથી અલગ કેટલાક બીજા રિપોર્ટ્સનાં પરિણામ પણ જણાવે છે વાસી લાળમાં લાઇસોઝાઇમ નામનું એન્ઝાઇમ હોય છે જે બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ કરે છે. આમ, વાસી લાળ લગાવવાથી ખીલને ઠીક કરવામાં મદદ કરે છે.

વાસી થૂંક લગાવતા પહેલાં આ ધ્યાન રાખો

  • જે લોકોની સ્કિન સેન્સેટિવ હોય છે એમને વાસી થૂંક લગાવવાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. સેન્સેટિવ સ્કિન પર આ નુસખો કરશો નહીં.
  • લાળમાં બેક્ટેરિયા પણ હોય છે. આમ, તમે ગંદા હાથથી લગાવો છો તો ખીલની સમસ્યા વધી શકે છે.
  • તમારી સ્કિન ડ્રાય વધારે છે તો લાળ લગાવતા આ સમસ્યા વધી શકે છે.
  • આમ, તમને જણાવી દઈએ કે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી જે એ સાબિત કરે છે કે વાસી થૂંક લગાવવાથી ખીલને પૂરી રીતે ઠીક કરી શકે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment