ધૂળ, પ્રદુષણ માત્ર સ્કિનને જ નહીં, પરંતુ ઓવરઓલ હેલ્થને નુકસાન કરે છે. આ કારણે કાન પણ પ્રભાવિત થાય છે. કાનમાં ગંદકી જમા થવાને કારણે ખંજવાળ, બળતરા અને દુખાવો થાય છે. આ માટે નિયમિત કાનને સાફ કરવા ખૂબ જરૂરી છે.
કાન સાફ કરવા માટે અનેક લોકો માચિસ તેમજ ઇયરબડ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમારી આ ટેકનિક કાનમાં જામેલી ગંદકીને અંદરની બાજુ ખસેડી દે છે.આ કારણે સમસ્યા વધી જાય છે. તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું જેની મદદથી તમે મિનિટોમાં કાનમાં જામેલો મેલ નીકાળી શકશો.

કાન સાફ કરવાની સૌથી સરળ રીત
- કાનની સફાઇ કરવા માટે તમે ઇયર ડ્રોપનો ઉપયોગ કરી શકો છો. આ સૌથી સુરક્ષિત રીત છે. આ ડ્રોપ નાખ્યા પછી કાનમાં જામેલી ગંદકી નરમ થઇ જાય છે અને સરળતાથી બહાર નીકળી જાય છે. તમારે આ ડ્રોપ 5થી 7 દિવસ સુધી કાનમાં નાખવાના રહેશે.
- આ સિવાય તમે રૂની મદદથી પણ કાન સાફ કરી શકો છો. આ સિવાય તમે કપડું ભીનું કરીને બહારનાં ભાગને સાફ કરી શકો છો. રૂથી તમે કાનની સફાઇ કરી રહ્યાં છો તો ખાસ ધ્યાન એ રાખો કે રૂ અંદરની સાઇડ ફસાઈ ના જાય.
- કાનની સફાઇ કરવા માટે તમે હુંફાળા પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક ડ્રોપર બોટલમાં સ્ટોર કરી દો. ત્યારબાદ એકવારમાં 5થી 10 ડ્રોપ કાનમાં નાખો. આમ કરવાથી કાનમાં જામેલી ગંદકી મિનિટોમાં સાફ થઇ જશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
- તમે ગ્લિસરીનનો ઉપયોગ પણ કરી શકો છો. આમ કરવાથી કાનમાં જામેલો મેલ ચીકણો થઇ જશે અને બહાર નીકળી જશે. આ સૌથી સરળ રીત છે.
- નારિયેળ તેલનો ઉપયોગ પણ તમે કરી શકો છો. નારિયેળ તેલના ટીપા કાનમાં નાખો અને થોડીવાર માટે રહેવા દો. આમ કરવાથી મિનિટોમાં કાનમાંથી મેલ નીકળી જશે.
આમ, કાનમાં મેલ વધારે જામી ગયો છે તો તમે ડોક્ટરને બતાવો, જેથી કરીને બીજી કોઈ તકલીફ થાય નહીં.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










