જો તમે આ રીતે આદુ ખાશો તો તમારા શરીરની 5 સૌથી મોટી સમસ્યાથી છુટકારો મળશે…

WhatsApp Group Join Now

આદુનો ઉપયોગ સવારની ચા થી લઈને રસોઈમાં વ્યાપક રીતે કરવામાં આવે છે. આદુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. કારણ કે આદુમાં એવા ગુણ હોય છે જે શરદી, ઉધરસ અને કેટલીક ગંભીર બીમારીઓની સારવારમાં પણ મદદરૂપ થાય છે.

આદુ આયરન, કેલ્શિયમ, આયોડિન, ક્લોરિન અને વિટામીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે કેટલીક બીમારીઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

જણાવે છે કે આદુમાં એન્ટિ ઓક્સિડન્ટ અને અન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આદુ ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ મળે છે.

આદુ ખાવાથી ત્વચાને પણ લાભ થાય છે. આદુ ખાવાથી શરીરમાં બ્લડ ફ્લો સુધરે છે. આદુનું સેવન કરવાથી શરીરને થતા લાભ વિશે તમને પણ જણાવીએ.

આદુથી થતા ફાયદા

– જો તમને જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય કે ખાટા ઓડકાર આવતા હોય તો આદુ ખાવું જોઈએ. આદુ ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે. તેના માટે જમ્યાની દસ મિનિટ પછી એક કપ પાણીમાં 1 ચમચી આદુનો રસ ઉમેરીને પીવો.

– જો તમને સવારે ઊઠીને ઉબકા કે ઉલટી જેવું થતું હોય તો મોર્નિંગ સીકનેસના લક્ષણોને દૂર કરવામાં પણ આદુ મદદ કરી શકે છે.

– આદુમાં જીંજરોલ નામનું બાયો એક્ટિવ હોય છે જે પાચન એન્જાયમને ઉત્તેજિત કરી પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. તેનાથી ગેસ, એસીડીટી અને સોજા જેવી સમસ્યાથી પણ રાહત મળે છે.

– આદુમાં એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આદુનું સેવન કરવાથી અથવા તો આદુનો રસ સાંધામાં લગાડવાથી સોજો અને દુખાવો ઓછો થઈ શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

– માસિક દરમિયાન કમરમાં દુખાવો થતો હોય તો પણ આદુ મદદરૂપ થઈ શકે છે. આદુનું સેવન આ રીતે કરવાથી દુખાવો દૂર થઈ જશે.

આદુનું સેવન કરવાની સાચી રીત

સામાન્ય રીતે આદુનો ઉપયોગ ચા કે દાળ શાકમાં ઉમેરીને કરવામાં આવે છે. પરંતુ ઉપર જણાવેલા ફાયદા મેળવવા હોય તો આદુનું પાણી પીવાનું રાખો. તેના માટે જરૂર અનુસાર પાણી ઉકાળો અને તેમાં આદુ ખમણીને ઉમેરી દો. પાણી ઉકળી જાય પછી તેને ઠંડુ કરીને પીવાનું રાખો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment