કહેવાય છે કે લસણ ખાવાથી શરીરમાં તાકાત વધે છે, જે નેચરલ એન્ટિબાયોટિકની જેમ કામ કરે છે. આનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી છુટકારો મળે છે. તો ચાલો લસણના ફાયદા જાણીએ.
ઘણી બીમારીઓની દવા
લસણનું વૈજ્ઞાનિક નામ એલિયમ સૈટિવમ એલ છે. પુરાતન કાળથી જ આને ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આની ખાસિયત આની ગંધ હોય છે, જે સ્વાદમાં તીખું હોય છે અને ખાવામાં પકવવાથી સોફ્ટ થઈ જાય છે. આને ઘણી બીમારીઓને અટકાવવામાં અને સારવારમાં ઘણું અસરદાર માનવામાં આવે છે.

આયુર્વેદિક ઔષધિ
આયુર્વેદ અને રસોઈ બંને દૃષ્ટિએ લસણ એક ખૂબ જ જરૂરી મસાલો છે. લસણમાં પ્રોટીન, એન્ઝાઈમ અને વિટામિન B, સૈપોનીન, ફલેવોનોઈડ જેવી ચીજો પણ હોય છે.
ઘણા પ્રકારના દુખાવા પણ ઘટાડે
લસણનું સેવન કરવાથી લકવા, મોઢાનો લકવા, સાયટીકા, સાંધાના દુખાવા, હાથ-પગમાં નિષ્ક્રિયતા, દુખાવો, ગળામાં અને પીઠમાં પીડા, અસ્થમા, ઉધરસ જેવી બીમારીઓથી આરામ મળે છે.
હાર્ટને ફાયદો
કહેવાય છે કે લસણનું સેવન કરવાથી કરવાથી રક્ત સંચાર અને હાર્ટને ફાયદો થાય છે અને લીવરની સાથે બ્લેડરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે. લસણથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. એટલું જ નહિ, ડાયાબિટીસ, ટિયુએફએસ, ડિપ્રેશન અને કેન્સર બીમારીઓ માટે લસણ કારગર માનવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સુગર લેવલમાં સુધારો
એક રિપોર્ટ અનુસાર, લસણ ખાવાથી ઉપવાસના સમયે બ્લડ સુગર ઘટી શકે છે. આ રિપોર્ટમાં સાબિત થયું હતું કે લસણનું સેવન કરવાથી સુગર લેવલમાં સુધારો થઈ શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.