રેલવે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતીય રેલવે દ્વારા 1 જુલાઈ, 2025થી નવા ભાડા દર લાગુ કરવામાં આવશે.
ભારતીય રેલવે તરફથી કરાયેલા આ ફેરફાર બાદ સામાન્ય મુસાફરો તેમજ લાંબા અંતરની મુસાફરી કરનારાઓના ખિસ્સાનું ભારણ વધશે. જોકે, રાહતની વાત એ છે કે, કેટલીક કેટેગરીમાં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

રેલવેના નવા ટેરિફ મુજબ, જનરલ સેકન્ડ ક્લાસમાં ૫૦૦ કિમી સુધીની મુસાફરી માટે કોઈ વધારો કરવામાં આવશે નહીં. પરંતુ જો મુસાફરી ૫૦૦ કિમીથી વધુની હશે તો પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારાનો ચૂકવવો પડશે.
આ સિવાય મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો (નોન-એસી) માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર ૧ પૈસાની વધુ ચૂકવણી કરવી પડશે. એસી ક્લાસની ટિકિટમાં સૌથી વધુ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રતિ કિલોમીટર ૨ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
મંથલી સિઝન ટિકિટ (મંથલી પાસ) ના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉ રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો.
અત્યાર સુધી જો તમે ટ્રેન ટિકિટ બુક કરાવી હોય તો ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા ખબર પડી જતી કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હાલમાં રેલવે નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. જેમાં કન્ફર્મ સીટ સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા જ બહાર પાડી દેવાશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
રેલ્વેએ ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં તેનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
હાલમાં એક જ ટ્રેન પૂરતું આ મર્યાદિત છે. જેમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. રેલવે અધિકારીઓનું માનવું છે કે થોડા સમય સુધઈ આનો ટ્રાયલ લેવામાં આવશે.