માતાપિતા બનવાનું સ્વપ્ન દરેક દંપતી માટે ખાસ હોય છે, પરંતુ ક્યારેક આ સપનાને પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. ઘણા દંપતી મહિનાઓ કે વર્ષો સુધી પ્રયાસ કરતાં હોય છે પરંતુ સફળતા મળતી નથી.
આ સમય દરમિયાન પુરુષોની પ્રજનનક્ષમતા સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ પાસું શુક્રાણુઓની સંખ્યા છે. બાળકને જન્મ આપવા માટે શુક્રાણુઓની સંખ્યા કેટલી હોવી જોઈએ અને જો તે ઓછી હોય તો શું કરી શકાય તે જાણવું ખાસ જરૂરી છે.

તમે ઘણીવાર જોયું હશે કે જો બાળકોનો જન્મ ન થઈ રહ્યો હોય તો સ્ત્રીઓમાં ઉણપ જણાવવામાં આવે છે અને જો કોઈને ડૉક્ટર પાસે જવું પડે તો ચેકઅપ પણ ફક્ત સ્ત્રીઓનું જ કરવામાં આવે છે.
ઘણી વખત પરિવારના સભ્યો પુરુષોનું પરીક્ષણ કરાવવા માંગતા નથી આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ છે કે બાળકને ગર્ભમાંધારણ કરવામાં શુક્રાણુઓની સંખ્યા ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.
ડૉક્ટરના મતે સ્વસ્થ પુરુષમાં શુક્રાણુઓની સંખ્યા ઓછામાં ઓછી 15 મિલિયન પ્રતિ મિલીલીટર કે તેથી વધુ હોવી જોઈએ. જો આ સંખ્યા 15 મિલિયનથી ઓછી હોય તો તેને ‘લો સ્પર્મ કાઉન્ટ’ કહેવામાં આવે છે, જે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પેદા કરી શકે છે.
શુક્રાણુઓની સંખ્યા ઓછી થવાના કારણોમાં અસ્વસ્થ જીવનશૈલી , ધૂમ્રપાન, દારૂ, અસંતુલિત આહાર, તણાવ અને ઊંઘનો અભાવ, અતિશય ગરમી, લેપટોપને ખોળામાં રાખવું, ચુસ્ત કપડાં પહેરવા, હોર્મોનલ અસંતુલન, ચેપ અથવા ઈજાનો સમાવેશ થાય છે.
શુક્રાણુઓની સંખ્યા વધારવા માટેની ટિપ્સ
સ્વસ્થ આહાર લેવો, લીલા શાકભાજી, ફળો, સૂકા ફળો અને પ્રોટીન વાળો ખોરાક લેવો, વ્યાયામ કરવો, નિયમિત યોગ અને ચાલવું, તણાવ ઓછો કરો, ધ્યાન અને આરામ કરવાની તકનીકો અપનાવો, ખરાબ ટેવો છોડો, ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો. ડૉક્ટરની સલાહ મુજબ ઝિંક, વિટામિન સી, વિટામિન ઇ અને પૂરક દવાઓ લો.
ડૉક્ટરને ક્યારે મળવું?
જો એક વર્ષના નિયમિત પ્રયત્ન પછી પણ ગર્ભાવસ્થા ન થઈ રહી હોય તો બંને ભાગીદારોએ પ્રજનન પરીક્ષણ કરાવવું જોઈએ. પુરુષો માટે તેમના શુક્રાણુઓની સંખ્યા, શુક્રાણુઓની ગતિવિધિ અને ગુણવત્તાની તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
બાળકની ઇચ્છા પૂર્ણ કરવા માટે માત્ર ભાવનાત્મક તૈયારી જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વપૂર્ણ છે. યોગ્ય શુક્રાણુઓની સંખ્યા, સ્વસ્થ જીવનશૈલી અને સમયસર ડૉક્ટરની સલાહ સાથે માતાપિતા બનવાનું સ્વપ્ન સરળતાથી પૂર્ણ થઈ શકે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










