ઘરમાં ઉંદરોએ આંતક મચાવી દીધો છે તો તે જ્યાં આવતા હોય ત્યાં આ વસ્તુ મૂકી દો, ઉંદરો ઉભી પૂંછડીએ ભાગશે!

WhatsApp Group Join Now

કોઈ પણ રુરુ હોય અને કોઈ પણ સીઝન હોય ઉંદરનો ત્રાસ 365 દિવસ રહેતો હોય છે. ઉંદર ઘરમાં આવી જાય તો ઘણી મુશ્કેલી થાય છે. એ ખાવા-પીવાની વસ્તુઓને નુકસાન પહોંચાડે છે અને આપણા કપડાં પણ કોતરી નાખે છે.

એટલું જ નહીં, ઉંદર ઘણી બિમારીઓ ફેલાવવાનું કારણ પણ બની શકે છે. કારણ કે તેઓ પોતાના પગથી યુરિન ફેલાવે છે. તેથી, તેમને ઘરમાંથી જલદીથી જલદી દૂર કરવું જરૂરી છે.

ઉંદરોના ત્રાસના કારણે આપણે માથું પકડી લેતા હોઈએ છીએ. આમ તો, બજારમાં ઉંદર મારવા માટે ઘણા રેટ કિલર મળે છે, પરંતુ ઘણી વખત તેમનો ઉપયોગ કર્યા પછી પણ ઉંદર ઘરમાંથી નથી જતા. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. તમે તેમને માર્યા વગર પણ ઘરમાંથી ભગાવી શકો છો. જો તમે પણ તમારા ઘરમાં ઉંદરોથી પરેશાન છો, તો તેમને ભગાવવા માટે આ ઘરગથ્થુ ઉપાયો અજમાવી શકો છો.

ઉંદરોને ઘરમાંથી ભગાવવા માટે આ ઉપાયો અજમાવો:

1. લાલ મરચું: ઉંદરોને લાલ મરચું બિલકુલ પસંદ નથી અને તેનાથી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. ઘરના ખૂણાઓમાં થોડું થોડું લાલ મરચું છાંટી દો. જેનાથી ઘરમાં ફરીથી ઉંદર નહીં આવે.

2. તેજપત્તા( તમાલ પત્ર): તેજપત્તાની સુગંધ ઉંદરોને બિલકુલ પસંદ નથી. તમે ઘરમાં તે જગ્યાઓ પર તમાલપત્ર રાખી શકો છો જ્યાં ઉંદર વધુ આવે છે. આ ઉપાયથી તમને ઘરમાંથી ઉંદર ભગાવવા માટે મદદ મળશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

3. ફુદીનાનું તેલ: રુમાં થોડું ફુદીનાનું તેલ નાખીને તે જગ્યાઓ પર રાખી દો જ્યાં ઉંદર આવે છે. આથી તેઓ ફરીથી નહીં આવે. તમે ઇચ્છો તો ફુદીનાના તેલની જગ્યાએ તેના પાનનો પણ ઉપયોગ કરી શકો છો.

4. ડુંગળી: ઉંદરોને ડુંગળીની સુગંધ બિલકુલ પસંદ નથી. ઉંદરોને ભગાવવા માટે ડુંગળી ખૂબ જ અસરકારક છે. જ્યાં પણ ઉંદર દેખાતા હોય ત્યાં બિલની આસપાસ અને તે જગ્યાઓ પર ડુંગળીના ટુકડા રાખી દો જ્યાં તેઓ આવે છે.

5. વાળ: ઉંદરોને ઘરમાંથી ભગાવવાનો સૌથી સરળ ઉપાય છે માણસના વાળ. તેઓ તેને જોઈ શકતા નથી અને ગળી જાય છે. તમે વાળને ઉંદરના બિલની પાસે રાખી દો.

WhatsApp Group Join Now

Leave a Comment