Money Return : જીવનમાં દરેક લોકોને પૈસાની જરૂર પડતી હોય છે. જેમાં આપણે અમુક વખત કોઈ પાસે ઉછીના પણ લેવા પડે છે. ક્યારેય આપણે કોઈને ઉછીના આપતા પણ હોઈએ છીએ.
જો કોઈએ તમારી પાસેથી પૈસા લીધા હોય અને સમયસર પાછા આપી દે તો તમારૂ અને સામેવાળાનું પણ કામ પણ થઈ જતું હોય છે. અને ખાતરી પણ રહે છે કે જો ફરીથી જરૂર પડશે તો પૈસા ફરીથી મળી રહેશે.

પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો બીજાઓ પાસેથી પૈસા લે છે અને તેમના પૈસા પાછા આપતા નથી. અમુક લોકો પૈસા પરત કરવાનો સ્પષ્ટ ઇનકાર પણ કરી દેતા હોય છે.
જો તમે કોઈને પૈસા આપ્યા હોય અને જો તે તમને તમારા પૈસા આપવાની ના પાડી રહ્યો હોય તો તરત જ એક કામ કરવું જોઈએ. આ કામથી તે તમારી માફી માંગશે અને તમારા પૈસા પણ પાછા આપશે.
પૈસા પાછા ન મળે તો કરવું જોઈએ આ કામ
જો તમે કોઈને 100-200 રૂપિયા કે હજાર બે હજાર રૂપિયા આપ્યા હોય અને જો તે તમારા પૈસા પરત ન આપે તો તમારે એટલી મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. પણ જો આ રકમ 50 હજાર, 1 લાખ, 5 લાખ સુધીની હોય તો પછી તે પરત લેવું મહત્વનું બની જાય છે.
પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો કોઈની પાસેથી પૈસા લે છે અને પૈસા આપતા નથી અને સ્પષ્ટપણે પરત આપવાનો ઇનકાર પણ કરે છે. જો તમારી સાથે પણ આવું થાય તો પછી તમારે તાત્કાલિક વકીલનો સંપર્ક કરવો જોઈએ.
કેમ કે, ત્યાર બાદ તમારી પાસે કાનૂની કાર્યવાહી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રહેતો અને વકીલ તમને કાનૂની કાર્યવાહી કરવામાં વધુ સારી રીતે મદદ કરી શકે છે. જે વ્યક્તિએ તમારી પાસેથી પૈસા ઉછીના લીધા હોય તમે તેને કાનૂની નોટિસ મોકલી શકો છો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ દરમિયાન તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારી પાસે પૈસા મોકલવાનો પુરાવો હોવો જોઈએ અને તે ઇનકાર કરી રહ્યો છે તે સાબિત કરવા માટે કોલ કે મેસેજનો પુરાવો હોવો જોઈએ.
સિવિલ કેસ દાખલ કરો
જે વ્યક્તિ તમારી લોનની રકમ પરત કરવાનો ઇનકાર કરી રહી છે તેને તમે કાનૂની નોટિસ મોકલો છો, જો આમ છતાં તે વ્યક્તિ તમારા પૈસા પરત ન કરે, કોઈ જવાબ પણ નથી આપી રહ્યું તો પછી તમે સિવિલ કેસ દાખલ કરી શકો છો. તમારો વકીલ તેમાં તમારી મદદ કરી શકે છે.
તમે કોર્ટમાં સમરી રિકવરી સુટ ફાઈલ કરીને અદાલતમાં તમારા આપેલા પૈસાને પરત લેવાની માંગ કરી શકો છો. ત્યાર બાદ કોર્ટ તે વ્યક્તિને તમારા પૈસા પરત કરવાનો આદેશ આપી શકે છે. તેનાથી તમને તમારા પૈસા પાછા મળી શકે છે.