× Special Offer View Offer

જો તમે પણ શરદી, ખાંસી કે વાઈરલ તાવથી પરેશાન છો તો તેના માટે ચમત્કારિક ઔષધ છે કેસર…

WhatsApp Group Join Now

આયુર્વેદના અતિ પ્રાચીન ગ્રંથોમાં કેસરનો `કાશ્મીરજ’ નામથી ઉલ્લેખ જોવા મળે છે. જેના ઉપરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે, અત્યારની જેમ ત્યારે પણ કાશ્મીરના ખૂબ ઊંચા પ્રદેશોમાં કેસરના છોડનું વાવેતર કરવામાં આવતું હશે.

આ છોડનાં ફૂલો પર રહેલા સ્ત્રીકેસરને જ આપણે કેસર કહીએ છીએ. આજકાલ કેસરમાં અનેક પ્રકારે ભેળસેળ કરવામાં આવે છે. એટલે સાચું કેસર મેળવવું ઘણું મુશ્કેલ છે. આયુર્વેદ પ્રમાણે સાચું, શુદ્ધ કેસર ઉત્તમ શક્તિ અને સૌંદર્યવર્ધક છે.

ગુણકર્મો

કાશ્મીરના પમ્પુર અને જમ્મુના કિશનવાડ નામના પ્રદેશોમાં જ કેસરના દોઢ ફૂટ ઊંચા બહુવર્ષાયુ છોડનું વાવેતર કરવામાં આવે છે. ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ગ્રીસ, ચીન, તૂર્કી વગેરે દેશોમાં પણ તેની ખેતી થાય છે.

આયુર્વેદ પ્રમાણે કેસર સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હળવું, ત્રિદોષનાશક (મુખ્યત્વે વાયુ અને કફનાશક), ચેતાતંત્રને ઉત્તેજિત કરનાર, મગજને બળ આપનાર, હૃદય અને આંખો માટે હિતકારી, રક્તને સુધારનાર, વાજીકરણ, ગર્ભાશય સંકોચક અને કડવું છતાં પૌષ્ટિક છે. તે અગ્નિમાંદ્ય, સોજા, હૃદયની દુર્બળતા, રક્તવિકારો, માસિક સંબંધી પીડા, તાવ, આંચકી, પ્રદરરોગ, શ્વાસરોગ અને આમવાતનો નાશ કરનાર છે.

કેસરમાં અનેક પ્રકારે મિલાવટ કરવામાં આવે છે, એટલે સાચું કેસર કયું તે જાણવામાં મુશ્કેલી થાય છે. કેસર સાચું છે કે નકલી તે જાણવા માટે કેસરને પાણીમાં પલાળીને સફેદ કપડા પર લગાડવાથી પીળાશ પડતા કેસરિયા-નારંગી રંગનો ડાઘ પડે તો અસલી કેસર અને જો પ્રથમ લાલ રંગનો ડાઘ પડીને પછી તે પીળા રંગમાં પરિવર્તિત થાય તો તેને નકલી કેસર સમજવું.

ઉપયોગ

વાયુ અને કફના રોગો માટે કેસર સર્વોત્તમ છે. શરદી-ખાંસી, તાવ અને વાઇરલ રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. એન્ટિ ઓક્સિડન્ટ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે તથા ત્વચા અને અન્ય અંગોને યુવાન રાખે છે. કોઈ પણ વ્યક્તિને ઉપરોક્ત શ્વસન તંત્રને લગતાં કોઈ અસામાન્ય લક્ષણો જણાય તો કેસરનો આ પ્રમાણે ઉપયોગ કરી શકે છે.

કેસર અને હળદર દૂધમાં મેળવીને ગરમ કરીને સુખોષ્ણ થાય એટલે ધીમે ધીમે પીવાથી ગળા અને ફેફસાના રોગોમાં લાભ થાય છે. ન મટતા હોય એવા શરદી-ખાંસી-તાવ મટે છે. બાળકોને અધિક તકલીફમાં આ ઉપચારની સાથે જાયફળ અને કેસર પાણીમાં ઘસીને કપાળ, નાક અને છાતી પર લેપ કરવો.

કેસર માસિક સંબંધી તકલીફોનું ઉત્તમ ઔષધ છે. જે સ્ત્રીઓને માસિક ઓછું આવતું હોય કે ખૂબ જ પીડા સાથે આવતું હોય તેમણે આ પ્રમાણે ઉપચાર કરવો. એક ગ્રામ કેસર અને થોડું કપૂર લઈ બંનેને ગરમ કરી પાણીમાં ભેગાં લસોટી લેવાં. આ પાણી માસિક આવવાના ત્રણ દિવસ પહેલાંથી સવાર-સાંજ લેવું. દુખાવા વગર માસિક ખુલાસાથી આવશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ઘણી વખત ગર્ભાવસ્થા દરમ્યાન અકસ્માત પેટમાં સામાન્ય દુખાવા સાથે થોડો રક્તસ્રાવ થતો હોય છે. આવા રક્તસ્રાવ પર કેસર ઉત્તમ પરિણામ આપે છે. 1થી 2 ગ્રામ કેસર અડધા કપ માખણમાં મેળવી, તેમાં થોડી સાકર નાખીને દર ત્રણ-ચાર કલાકે આપવું. સંપૂર્ણ આરામ કરવો. દુઃખાવો ઓછો થઇ રક્તસ્રાવ બંધ થવા લાગશે.

કેસર સાથે બીજા ઔષધો પ્રયોજીને કુંકુમાદિ તેલ બનાવવામાં આવે છે. આ ઔષધ અત્યંત સૌંદર્યવર્ધક હોવાથી ખૂબ જ પ્રસિદ્ધ છે. (બજારમાં આ તેલ તૈયાર મળી રહે છે.) ચહેરા પરના અને આંખો નીચેનાં કાળાં ડાઘ-કૂંડાળાં, ખીલ, ખીલના ડાઘ સાથે ચામડીના વિવિધ રોગો પર આ તેલ લગાડવાથી કે તેની માલિશ કરવાથી ઉત્તમ પરિણામ મળે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment