હિન્દુ ધર્મમાં હનુમાન જયંતી ધામધૂમથી ઉજવાય છે. આ વખતે હનુમાન જયંતી 12 એપ્રિલ, 2025ના રોજ સવારે 03:21 વાગ્યે શરૂ થશે અને 13 એપ્રિલ 2025ના રોજ સવારે 05:51 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે અમુક વસ્તુ હનુમાન દાદાને અર્પણ કરવાથી જીવનમાં અનેક લાભ થાય છે.
હનુમાન જયંતી
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવાય છે. આ વર્ષે 12 એપ્રિલ 2025 શનિવારના રોજ હનુમાન જયંતી છે.
એવી માન્યતા છે કે આ દિવસે પૂજા, ઉપવાસ અને કેટલીક વસ્તુઓનું દાન કરવાથી હનુમાન દાદા પ્રસન્ન થાય છે. હનુમાન જયંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તે જાણીએ.
હળદર
હનુમાન જયંતીના દિવસે હળદરનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે હળદરનું દાન કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં શુભતાનું આગમન થાય છે.
અનાજ
હનુમાન જયંતિ પર અનાજનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે અનાજનું દાન કરવાથી આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.
લાડુ
હનુમાન જયંતિ પર લાડુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ આ દિવસે લાડુનું દાન કરવાથી નોકરીમાં પ્રમોશન મળે છે અને પૈસાનો પ્રવાહ વધે છે.
સિંદૂર
હનુમાન જયંતીના દિવસે હનુમાન દાદાને સિંદૂર ચોળા ચઢાવ્યા બાદ નારંગી રંગનું સિંદૂર દાન કરવું જોઈએ. એવી માન્યતા છે કે આમ કરવાથી હનુમાન દાદા પ્રસન્ન થાય છે.
ચણા
શેકેલા ચણા અને ગોળ હનુમાન દાદાને પ્રિય છે. એવી માન્યતા છે કે હનુમાન જયંતીના દિવસે ચણા અને ગોળનું દાન કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે.