Barley Flour Roti: ગરમીમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધારે રહે છે તેથી આ ઋતુમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સમય એવો હોય છે જ્યારે ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તો શરીર પર ખરાબ અસર થાય છે.
ઉનાળો શરૂ થાય એટલે જો તમે ઘઉં ને બદલે જવના લોટનો ઉપયોગ શરૂ કરો છો તો તેનાથી ઘણી બધી હેલ્થ સમસ્યાથી રાહત મળી શકે છે.

જવ જેને બાર્લે પણ કહેવાય છે તેના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી શરીરને ઠંડક મળે છે અને સાથે જ ઘણા બધા ફાયદા પણ થાય છે. ઉનાળા દરમિયાન ઘઉંના બદલે જો આ લોટની રોટલી ખાવામાં આવે તો શરીર પર સકારાત્મક અસર જોવા મળે છે.
જવના લોટની રોટલી ખાવાથી થતા લાભ
વજન ઘટશે
વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા લોકો માટે જવના લોટની રોટલી ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે જવમાં ફાઇબર વધારે હોય છે અને કેલરી ઓછી હોય છે.
તેને ખાવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી ભરેલું રહે છે જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને ચરબી ઝડપથી ઓછી થાય છે. વજન ઘટાડવું હોય તેવો જવના લોટની રોટલીની સાથે જવના દલીયા પણ ખાઈ શકે છે.
પેટને ઠંડક આપશે
જવની તાસીર ઠંડી હોય છે તેથી ગરમીના દિવસોમાં જવનો લોટ ખાવાની સલાહ આપવામાં આવે છે. જવનો લોટ ખાવાથી પેટની ગરમી શાંત થાય છે અને ગરમીના કારણે થતી પાચનની સમસ્યાઓ પણ થતી નથી. જેમ કે ગેસ, અપચો, એસિડિટી અને બ્લોટીંગથી રાહત મળી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પાચન સુધરશે
જવમાં ફાઇબર વધારે હોય છે તેથી તે પાચનતંત્રને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. જવમાં ફાઇબર હોય છે જેનાથી પેટ હેલ્ધી રહે છે અને કબજિયાતની સમસ્યા મટે છે. ઉનાળામાં ઘઉંના લોટની રોટલી ખાવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરી શકે છે
કોલેસ્ટ્રોલ ઘટે છે
જવ શરીરમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. જવમાં એવા એસિડ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવાનું કામ કરે છે. જેના કારણે હાર્ટ પણ હેલ્ધી રહે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.