રસોઈમાં વપરાતા તેલ અને તેનાથી થતા ફાયદા અંગેની ચર્ચાઓ કાયમથી ચાલી આવે છે. તાજેતરના સમયમાં કેનોલા અને સૂરજમુખી તેલ જેવાં બીજમાંથી નીકળેલા તેલની હાનિકારક અસરો વિશે વિવાદાસ્પદ દાવાઓ થયા છે. શું તેમાં કોઈ સત્ય છે?
તમારી પાસે ક્યાંક રસોડાના કબાટમાં સૂરજમુખી તેલ અથવા કેનોલા તેલની બૉટલ મૂકેલી હોઈ શકે છે. તેનાથી તમે રસોઈ કરો છો કે સલાડ પર નાંખો છો.
બીજમાંથી નીકળેલાં તેલ વિશ્વભરમાં લોકપ્રિય છે.
તાજેતરનાં વર્ષોમાં બીજનાં તેલ અસંખ્ય સોશિયલ મીડિયા પોસ્ટ્સનું કેન્દ્ર બન્યું છે, જેમાં લોકો દાવો કરે છે કે તે “ઝેરી” છે અને અંતે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

ટીકાકારોએ કેટલાંક બીજ તેલને ‘ધ હેટફુલ એઇટ’ નામ આપ્યું છે – જે આઠ લોકપ્રિય બીજનાં તેલ, કેનોલા, મકાઈ, કપાસિયા, દ્રાક્ષ, સોયા, ચોખાના ભૂસા, સૂરજમુખી અને કુસુમનો ઉલ્લેખ કરે છે અને તેને હૃદયરોગ અને ટાઇપ 2 ડાયાબિટીસનું કારણ બનવા માટે દોષી ઠેરવે છે.
બીજમાંથી બનતું તેલ શું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?
બીજનાં તેલની તાજેતરની ટીકાઓમાં મોટા ભાગે તેના ઉચ્ચ ઓમેગા-6 ફેટી ઍસિડની સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
ઓમેગા 6 ફેટી ઍસિડ આવશ્યક ફેટી ઍસિડ છે, જેનો અર્થ એ છે કે આપણને તેની જરૂર છે, પરંતુ આપણે તે જાતે ઉત્પન્ન કરી શકતા નથી. તાજેતરનાં વર્ષોમાં કેટલાક વૈજ્ઞાનિકોએ દલીલ કરી છે કે ઓમેગા 6 ક્રોનિક બળતરાનું કારણ બની શકે છે (જે હૃદયરોગ અને કૅન્સર સહિતના રોગો વિકસાવવાનું જોખમ વધારી શકે છે).
પરંતુ નિયંત્રિત પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે ઓમેગા-6 ફેટી ઍસિડ બળતરામાં વધારો કરતું નથી, એમ યુએસમાં મેસેચ્યુસેટ્સમાં ટફ્ટ્સ યુનિવર્સિટી ખાતે ફૂડ ઇઝ મેડિસિન ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને ડિરેક્ટર ડેરીશ મોઝાફરિયન કહે છે.
તેઓ કહે છે, “નવાં સંશોધન દર્શાવે છે કે ઓમેગા-6 ફેટી ઍસિડ લિપોક્સિન જેવા અનન્ય કુદરતી અણુઓને જન્મ આપે છે, જે શરીરમાં શક્તિશાળી બળતરા વિરોધી અસરો ધરાવે છે.” તાજેતરના સંશોધનમાં લગભગ 30 વર્ષ સુધી યુએસમાં 200,000થી વધુ લોકોના આહાર અને આરોગ્યનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સંશોધકોએ શોધી કાઢ્યું કે જે લોકો વધુ વનસ્પતિ તેલ (બીજ તેલ સહિત)નું સેવન કરે છે તેમનામાં અભ્યાસ દરમિયાન રક્તવાહિની સંબંધિત રોગ અથવા કૅન્સરથી મૃત્યુ પામવાની શક્યતા ઓછી હતી. બીજી બાજુ જે લોકોએ માખણનું સેવન વધુ કર્યું હતું તેના મૃત્યુની શક્યતા આ જ સમયગાળા દરમિયાન વધુ હતી.
ઓમેગા 6 આપણા હૃદયના સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તે જોવા માટે અસંખ્ય અવલોકન અભ્યાસો છે, જેમાં વૈજ્ઞાનિકો આહાર અને સ્વાસ્થ્ય પરના ડેટાને તપાસે છે અને બંને વચ્ચે જોડાણ શોધે છે.
પરંતુ કેટલાંક અવલોકન-અભ્યાસો લોકો શું ખાય છે તેના પર આધાર રાખે છે. યુએસમાં જૉન્સ હૉપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ ખાતે માનવ પોષણના સહાયક પ્રોફેસર મેટી માર્કલેન્ડ કહે છે, “આ સમસ્યારૂપ બની શકે છે, કારણ કે લોકો તેમની આહારની આદતો ખોટી રીતે યાદ રાખી શકે છે અથવા તો તેઓ અપ્રામાણિક પણ હોઈ શકે છે.”
ઓમેગા 6ના સેવનને માપવાનો બીજો રસ્તો એ છે કે વ્યક્તિના આહારમાં વ્યક્તિગત ઘટકો અને ઘટકોની સરેરાશ માત્રા માપવી. જોકે, માર્કલૅન્ડ ઉમેરે છે કે, લોકો જે કહે છે કે તેમણે ખાધું છે, તેને ચોક્કસ માત્રામાં માપવું મુશ્કેલ હોઈ શકે છે.
આપણા સ્વાસ્થ્ય પર ઓમેગા 6ની અસરોની તપાસ કરતા અસંખ્ય અભ્યાસો લિનોલિક ઍસિડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે (જે બીજ તેલમાં ઉચ્ચ માત્રામાં જોવા મળતું ઓમેગા 6 ફેટી ઍસિડ છે) જે આપણા લોહીમાં રહેલું ‘ખરાબ’ LDL કૉલેસ્ટ્રૉલ ઘટાડે છે.
2019ના એક અભ્યાસમાં માર્કલૅન્ડે લગભગ 30 નિરીક્ષણ અભ્યાસોમાં ભાગ લેનારા લોકો (જેમાંથી કેટલાક લોકોને તો 30 વર્ષ સુધી અનુસરવામાં આવ્યા હતા)ના લોહીમાં ફેટી ઍસિડના સ્તર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને જોયું કે કેટલા લોકોનું હૃદયરોગને કારણે મૃત્યુ થયું હતું.
તેમણે જોયું કે જે લોકોના લોહીમાં લિનોલિક ઍસિડનું સ્તર સૌથી વધુ હતું તેવા લોકોને હૃદયરોગ થવાનું જોખમ સૌથી ઓછું હતું. યુએસમાં સ્ટેનફૉર્ડ પ્રિવેન્શન રિસર્ચ સેન્ટર ખાતે પોષણ અભ્યાસના ડિરેક્ટર ક્રિસ્ટોફર ગાર્ડનર કહે છે કે ઓમેગા 6 અને હૃદયના સ્વાસ્થ્ય અંગે કેટલીક મૂંઝવણ છે.
આ અંશતઃ લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં ઓમેગા 6ની ભૂમિકાને કારણે ઉદ્ભવે છે, જેને લોકો ભૂલથી ફક્ત સ્ટ્રૉક અને હાર્ટ ઍટેક સાથે જોડે છે. એમ કહેતા તેઓ ગાર્ડનર ઉમેરે છે, “ઓમેગા 3 વધુ લોહી પાતળું કરે છે. જો તમારા હાથમાં ઘા હોય તો તમે ઇચ્છો છો કે તે ગંઠાઈ જાય. તમારે સંતુલનની જરૂર છે.”
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
દરમિયાન વૈજ્ઞાનિકોએ 2019માં 30 અભ્યાસોના વિશ્લેષણમાં તારણ કાઢ્યું હતું કે જે લોકોના લોહીમાં લિનોલિક ઍસિડનું પ્રમાણ વધુ હતું તેમને હૃદયરોગ થવાની શક્યતા 7 ટકા ઓછી હતી.
એમ માર્કલૅન્ડ કહે છે કે, “લિનોલિક (ઍસિડ) કૉલેસ્ટ્રૉલમાં સુધારો કરી શકે છે જેથી રક્તવાહિનીના રોગનું જોખમ ઓછું થાય અને ગ્લુકોઝ ચયાપચયમાં પણ સુધારો થાય, જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.” બીજ તેલ પર મૂકવામાં આવતો બીજો સામાન્ય આરોપ એ છે કે ઓમેગા 3 ની તુલનામાં ઓમેગા 6 વધુ પડતું ખાવું હાનિકારક છે.
અન્ય તેલથી વિપરીત બીજનું તેલ છોડનાં બીજમાંથી કાઢવામાં આવે છે. એવી કેટલીક ચિંતાઓ છે કે બીજના તેલને હેક્સેન (કાચા તેલમાંથી બનાવેલું રસાયણ) સાથે કાઢવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી એવા બહુ ઓછા પુરાવા છે જે સૂચવે છે કે આ પ્રક્રિયા સમસ્યાઓનું કારણ બની શકે છે.
કેટલાક પુરાવા સૂચવે છે કે હેક્સેન અનેક સ્વાસ્થ્ય સ્થિતિઓ સાથે સંકળાયેલ હોઈ શકે છે, પરંતુ કાઢવામાં આવ્યા પછી તેલને ગંધહીન બનાવાય છે અને ઉમેરણો દૂર કરવા માટે બ્લીચ કરવામાં આવે છે.
ગાર્ડનર કહે છે, “વૈજ્ઞાનિકો કહેશે કે હેક્સેન અર્ક ફૂડ પ્રોસેસિંગમાં સામાન્ય છે અને ગંધહીન અને બ્લીચિંગ સંભવિત હાનિકારક સંયોજનોને દૂર કરે છે.”
ઠંડું દબાયેલું બીજ તેલ આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ટાળે છે, કારણ કે તેમાં તેલ કાઢવા માટે બીજને સ્ક્વિઝ કરવાનો સમાવેશ થાય છે, પણ તેનાથી ઉત્પાદન ખર્ચાળ બને છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










