મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનાની છેલ્લી તારીખ 31 મે સુધી તમારે બેંક એકાઉન્ટમાં 500 રૂપિયા રાખવા પડશે. આ અમે એટલા માટે કહી રહ્યાં છીએ કારણ કે આ તારીખે એક મહત્વની ડેડલાઇન ખતમ થઈ રહી છે.
હકીકતમાં નરેન્દ્ર મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં ગરીબો માટે ઘણી યોજનાઓ શરૂ કરી હતી. આવી બે યોજનાઓ- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાઈ) અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (પીએમએસબીવાઈ) છે.

આ યોજનાઓ વર્ષ 2015મા શરૂ કરવામાં આવી હતી, જે ગ્રાહકોને 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપે છે. આ બંને યોજનાઓને રિન્યૂ કરવાની ડેડલાઇન 31 મેએ ખતમ થઈ રહી છે.
શું છે તેનો મતલબ?
જો તમે બંને યોજનાઓ માટે પ્રીમિયમ જમા કરો છો તો તમને 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે. બંને યોજનાઓનું પ્રીમિયમ એક વર્ષના સમયગાળા માટે હોય છે. આ સમયગાળો ખતમ થાય એટલે ફરી પ્રીમિયમ જમા કરવું પડે છે. ત્યારબાદ ગ્રાહકોને વીમા કવર મળી જાય છે. આ યોજનાઓનું કુલ પ્રીમિયમ 500 રૂપિયાથી ઓછું છે.
યોજના વિશે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) એ એક વર્ષની જીવન વીમા યોજના છે જે કોઈપણ કારણોસર મૃત્યુને આવરી લે છે. 18-50 વર્ષની વય જૂથના લોકો આ માટે પાત્ર છે.
જે લોકો 50 વર્ષની ઉંમર પૂર્ણ કરતા પહેલા આ યોજનામાં જોડાય છે તેઓ નિયમિત પ્રીમિયમ ચૂકવીને 55 વર્ષની ઉંમર સુધી જીવનનું જોખમ લઈ શકે છે. આ યોજના માટે પ્રીમિયમ વાર્ષિક રૂ. 436 છે. બદલામાં, 2 લાખ રૂપિયાનું જીવન વીમા કવચ આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
આ એક વર્ષની દુર્ઘટના વીમા યોજના છે, જે દુર્ઘટનાને કારણે મૃત્યુ કે દિવ્યાંગતા માટે કવરેજ પ્રદાન કરે છે. 18-70 વર્ષની ઉંમર વર્ગની વ્યક્તિ તેમાં સામેલ થઈ શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
દુર્ઘટનાને કારણે મૃત્યુ કે દિવ્યાંગતા માટે 20 રૂપિયા પ્રતિ વર્ષના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા (આંશિક વિકલાંગતાના મામલામાં 1 લાખ રૂપિયા) નું દુર્ઘટના મૃત્યુ સહ વિકલાંગતા કવર મળે છે.
બંને યોજના હેઠળ નામાંકન ખાતાધારકે બેંકની શાખા/બીસી પોઈન્ટ કે બેંકની વેબસાઇટ પર જઈ કે પોસ્ટ ઓફિસ બચત ખાતાના મામલામાં પોસ્ટમાં કરી શકાય છે. યોજના હેઠળ પ્રીમિયમ ગ્રાહકના બેંક ખાતામાંથી દર વર્ષે ઓટો ડેબિટ કરવામાં આવે છે.