સલાડ સામાન્ય રીતે ભોજન કરતા પહેલા ખાવામાં આવે છે, જે ભૂખ કંટ્રોલ કરવામાં મદદ કરે છે ખાસ કરીને વજન ઘટાડવા માંગતા લોકો અને ડાયબિટીસના દર્દીઓને જમ્યા પહેલા સલાડ ખાવાની સલાહ આપવામાં આવે છે.
અહીં સાઉથ ઇન્ડિયાનું ફેમસ કોસંબારી સલાડ (kosambari salad) ની વાત કરી છે જે ઉનાળામાં શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે. કોસંબારી એ પરંપરાગત દક્ષિણ ભારતીય સલાડ છે જે મગની દાળ, કાકડી, કોથમીર, નારિયેળ અને લીંબુ રસ જેવા સામગ્રી નાખીને બનાવામાં આવે છે.

તે બનાવવું ખૂબ જ સરળ છે અને તેમાં વધારે મસાલાની જરૂર નથી. તે સાત્વિક ખોરાકમાં શામેલ છે અને ઉપવાસ દરમિયાન પણ ખાઈ શકાય છે.
કોસંબારી સલાડ રેસીપી સામગ્રી
- ½ કપ મગની દાળ (પલાળેલી)
- 1 મધ્યમ કદની કાકડી (છીણેલી)
- 2 ચમચી છીણેલું નારિયેળ
- 1 લીલું મરચું
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી કોથમીર
- મીઠું સ્વાદ મુજબ
વઘાર માટે
- 1 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- 6-7 મીઠા લીમડાના પાન
- હિંગ – એક ચપટી
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કોસંબારી સલાડ રેસીપી
- સૌ પ્રથમ, મગની દાળને 2-3 કલાક પાણીમાં પલાળી રાખો. પછી તેને ગાળીને બાજુ પર રાખો.
- હવે એક બાઉલમાં છીણેલી કાકડી, નારિયેળ, લીલા મરચાં, લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરો.
- પલાળેલી મગની દાળ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
- હવે એક નાના વઘારમાં તેલ ગરમ કરો.
- તેમાં રાઈના દાણા ઉમેરો, જ્યારે તે તતડે ત્યારે મીઠા લીમડાના પાન અને હિંગ ઉમેરો.
- તૈયાર કરેલી મસાલા સલાડ પર રેડો અને તેને સારી રીતે મિક્સ કરો.
- તેને થોડીવાર માટે ફ્રીજમાં રાખો જેથી તે ઠંડુ રહે અને પછી ભગવાનને અર્પણ કરો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










