પ્રેશર કૂકરમાં પકવેલું ભોજન ખાવાથી વ્યક્તિને થઈ 3 ભયંકર બીમારી, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ? અહીં જાણો…

WhatsApp Group Join Now

મુંબઇમાં એક વ્યક્તિને પ્રેશર કૂકરના કારણે જોખમી સમસ્યાઓ થઇ ગઇ છે. વારંવાર તપાસ બાદ સામે આવ્યું કે, એક એલ્યુમિનિયમ કૂકરનો ઉપયોગ કરવાથી શરીરને નુકસાન થયું છે. ભોજન બનાવવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. દાળ બનાવવાથી લઇ સબ્જી પકાવવા સુધી આ વાસણનો ઉપયોગ થાય છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ વાસણ તમારી બીમારીનું કારણ બની શકે છે. આવો જ એક કેસ મુંબઇમાં સામે આવ્યો છે, જ્યાં 50 વર્ષના એક વ્યક્તિને 3 ભયંકર બીમારીઓ થઇ ગઇ છે.

મુંબઇમાં રહેતા 50 વર્ષીય વ્યક્તિ લીડ પોઇઝનિંગ (Lead poisoning)નો શિકાર થઇ ગયો. જેના કારણે તેને 3 ગંભીર લક્ષણોનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે તે ઇલાજ માટે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટર વિશાલ ગબાલે (Dr. Vishal Gabale, MBBS DNB Internal Medicine)ને લીડ પોઇઝનિંગ વિશે જાણ થઇ. જેનું કારણ પ્રેશર કૂકર હતું.

લીડ પોઇઝનિંગના 3 લક્ષણો

50 વર્ષના વ્યક્તિને મેમરી લૉસ, ફેટિગ અને પગમાં ઝણઝણાટીની ફરિયાદ હતી. ટેસ્ટ કરાવવા પર તેને થાઇરોઇડ, વિટામિન બી12 અને શુગર લેવલ નોર્મલ આવ્યું હતું.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જ્યારે તેનું હેવી મેટલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું, તેમાં લીડનું સ્તર 22 માઇક્રોગ્રામ પ્રતિ ડેસિલીટર આવ્યું. જેની નોર્મલ વેલ્યૂ 5 માઇક્રોગ્રામ પ્રતિ ડેસિલીટરથી ઓછું હોય છે. આ એક ક્રોનિક લીડ પોઇઝનિંગનો કેસ હતો.

​કૂકરથી આવ્યું લીડ

આ પોઇઝનિંગ પ્રેશર કૂકરના કારણે આવ્યું હતું. કેસ એક્ઝામિનેશનમાં ડોક્ટર વિશાલ ગબાલે (Dr. Vishal Gabale)ને દર્દીની પત્નીએ જણાવ્યું કે, તેઓ 20 વર્ષથી એક જ પ્રેશર કૂકરનો ઉપયોગ કરી રહ્યા હતા.

​આ ચીજો ના પકાવો

જૂના અને ખરાબ એલ્યૂમિનિયમ પ્રેશર કૂકરમાં જ્યારે એસિડિક ફૂડ પકાવવામાં આવે છે તો ભોજનમાં લીડ અને એલ્યૂમિનિયમ ભળી જાય છે. શરીરમાં વધુ લીડ ન્યૂરોનલ કેલ્શિયમ ચેનલને ખરાબ કરી બ્રેઇન સિગ્નલને મંદ કરી દે છે. જેનાથી મેમરી લૉસ અને ન્યૂરોપેથીના લક્ષણો જોવા મળે છે. બાળકોમાં તેના કારણે આઇક્યૂ પણ ઘટી જાય છે.

પ્રેશર કૂકર બન્યું ગંભીર બીમારીનું કારણ ​

​આવા કૂકરનો કરો ઉપયોગ

ધ્યાન રાખો કે ઉઝરડા પડી ગયા હોય કે કાળા પડી ગયેલા એલ્યૂમિનિયમ પ્રેશર કૂકરનો ઉપયોગ ક્યારેય ના કરો. ટામેટાં, આમલી જેવા એસિડિક ફૂડને એલ્યૂમિનિયમ કૂકરમાં ના પકાવો. તેના બદલે સ્ટેનલેસ સ્ટીલ અથવા હાઇ એનોડાઇઝ્ડ અથવા સિરામિક કૂકવેરનો ઉપયોગ કરો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment