કાનુની સવાલ: બિચારો પતિ શું કરે! રૂ. 15,000 કમાણીમાં ભરપોષણ માટે પત્નીને આપશે આટલા રુપિયા, હાઈકોર્ટે આપ્યો ચુકાદો…

WhatsApp Group Join Now

13 મે 2025 દિલ્હી હાઈકોર્ટે એક પતિને આદેશ આપ્યો છે કે તેણે તેની પત્નીને ખર્ચ માટે દર મહિને 12 હજાર રૂપિયા આપવા પડશે. પણ તમને આશ્ચર્ય થશે કે આ કેવા પ્રકારનો નિર્ણય છે. કારણ કે અહીં પતિની આવક માત્ર 15 હજાર રૂપિયા પ્રતિ માસ છે.

હાઈકોર્ટે કહ્યું કે વચગાળાની ભરણપોષણની રકમ એ શરતને આધીન છે કે ફેમિલી કોર્ટ તેમના આઈટીઆર અને બેંક સ્ટેટમેન્ટની ચકાસણી કરે.

શિક્ષિકા સાથે કર્યા લગ્ન

તેથી ફેમિલી કોર્ટ તેની ચકાસણી ન કરે ત્યાં સુધી પતિએ દર મહિનાની 10મી તારીખ સુધીમાં વચગાળાના ભરણપોષણ ચૂકવવાનું રહેશે.

પતિ 2010 થી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં વકીલ છે, તેમણે જાન્યુઆરી 2016 માં દિલ્હી સરકારમાં કાર્યરત એક શિક્ષક સાથે લગ્ન કર્યા. લગ્નના લગભગ 18 મહિના પછી તેમની પત્ની જુલાઈ 2017માં તેમને છોડીને ગઈ અને ત્યારથી તેઓ અલગ રહે છે.

પતિએ આરોપ લગાવ્યો

પતિએ આરોપ લગાવ્યો કે તે સરકારી શિક્ષિકા છે અને લગભગ 40,000 થી 45,000 રૂપિયા કમાય છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે તેણે સ્વેચ્છાએ બેરોજગાર રહેવાનું પસંદ કર્યું અને બદલામાં તેની પાસે ભરણપોષણના પૈસા માંગ્યા છે. પતિએ કહ્યું કે બાળકના શિક્ષણનો મોટો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવે છે.

જેમાં ટ્યુશન ફી, પુસ્તકો અને ઘણી સુવિધાઓનો સમાવેશ થાય છે. પત્નીના વકીલોએ આ દલીલનો વિરોધ કરતા કહ્યું કે, તેણે તેના સગીર બાળકની સંભાળ રાખવા માટે નોકરી છોડી દીધી. કારણ કે તેની ગેરહાજરીમાં બાળકોની સંભાળ રાખવા માટે કોઈ નહોતું.

નાના બાળકની સંભાળ રાખવા માટે નોકરી છોડી દીધી

પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તેના પતિ અનેક મિલકતોમાંથી ભાડાની આવક મેળવે છે. જે તેણે કોર્ટમાં જાહેર કરી ન હતી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

વધુમાં પત્નીએ કોર્ટને જણાવ્યું હતું કે શાળાએ જવામાં અને પાછા ફરવામાં ઘણો સમય લાગે છે અને તેને તેના ઘરની નજીક કોઈ નોકરી મળી શકતી ન હતી. તેથી તેણે તેના સગીર બાળકની સંભાળ રાખવા માટે નોકરી છોડવી પડી.

કોર્ટનું નિવેદન

જો પતિથી અલગ રહેતી પત્ની પોતાના બાળકના ઉછેર માટે નોકરી છોડી દે છે તો તેને ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. આના પર કોર્ટે કહ્યું કે, જો કોઈ મહિલા સિંગલ પેરેન્ટ હોવાથી બાળકની સંભાળ રાખવા માટે નોકરી છોડી દે છે, તો તેને કામ પરથી તેની સ્વૈચ્છિક ગેરહાજરી ગણવામાં આવશે નહીં. આવી મહિલા ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે.

WhatsApp Group Join Now

Leave a Comment