Vitamin B12: વિટામિન બી12 આપણા શરીરનું જરૂરી પોષકતત્વ છે. જે નર્વસ સિસ્ટમ અને બ્લડ સેલ્સને હેલ્ધી રાખવાનું કામ કરે છે. શરીરમાં વિટામિન બી12 ઓછું હોય તો થાક, નસોમાં દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
અચાનક મૂડમાં ફેરફાર, થાક, નસોમાં દુખાવો, વધારે ઊંઘ આવવી, ઝણઝણાટી થવી આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય તો તમે દહીંમાં કેટલીક વસ્તુ ઉમેરી ખાવાની શરૂઆત કરી દો.

આ વસ્તુઓ ખાવાથી વિટામિન બી12 ની ખામીને દુર કરી શકાય છે.
વિટામિન બી12 ની ખામીના લક્ષણ
- વધારે પડતો થાક લાગવો, નબળાઈ લાગવી
- નસોમાં દુખાવો
- ચક્કર આવવા,
- ત્વચા ફીક્કી પડી જવી
- ધબકારા વધી જવા
- એનર્જીની ખામી
દહીં અને વિટામિન બી12
દહીં વિટામિન બી12 ની ખામીને દુર કરવાનો સારો સોર્સ છે. તેનાથી વિટામિનની ખામી દુર કરવામાં મદદ મળે છે અને પાચનતંત્ર પણ સુધરે છે. દહીંમાં જે બેક્ટેરિયા હોય છે તે શરીરમાં અવશોષિત થવામાં સહાયતા કરે છે. દહીંમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને ખાવાથી તે વધારે લાભ કરે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
દહીંમાં કઈ કઈ વસ્તુ ઉમેરી ખાવી?
1. દહીંમાં અળસીના બી ઉમેરીને ખાવાથી લાભ થાય છે.
2. દહીંમાં શેકેલું જીરું અને મીઠું ઉમેરીને ખાવાથી પણ ફાયદો થાય છે.
3. દહીંમાં મેથીનો પાવડર ઉમેરીને પીવાથી તે પૌષ્ટિક બને છે અને તંત્રિકા તંત્રને પણ ફાયદો કરે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.