મોદી સરકારે આપી ભેટ, PM આવાસ યોજનામાં મહિલાઓને મળશે વિશેષ લાભ, જાણો શું?

WhatsApp Group Join Now

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ગામડાઓમાં રહેતી મહિલાઓને સશક્તિકરણ કરવાનો છે.

આથી આ યોજનામાં આપવામાં આવેલા મકાનોમાં મહિલાઓને 100 ટકા માલિકી આપવાનું લક્ષ્‍ય રાખવામાં આવ્યું છે. આ સિવાય એક નવો સર્વે ‘આવાસ-પ્લસ 2024’ શરૂ કરવામાં આવશે, તે અંતર્ગત લાભાર્થીઓએ નવા મકાનો માટે અપડેટેડ માપદંડો અનુસાર સર્વે કરાવવાનો પડશે.

બીજા તબક્કામાં રજિસ્ટર્ડ મકાનોની નોંધણી લાભાર્થી પરિવારોની મહિલા સભ્યોના નામે જ થાય તેવો સરકારનો પ્રયાસ છે.

આ યોજનાના બીજા તબક્કામાં લાભાર્થીઓની નવી યાદી બનાવવામાં આવશે, અને તેના દ્વારા પ્રથમ વખત આ યોજનામાં ઈચ્છુક લોકોને ‘સેલ્ફ સર્વે’ કરવાની મંજૂરી અપાશે.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બે કરોડ મકાનોના નિર્માણને મંજૂરી આપ્યા બાદ હવે તેનો બીજો તબક્કો શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરી દીધી છે.

હાલમાં, PMAY-G હેઠળ બનાવવામાં આવેલા 74 ટકા ઘરોમાં સંયુક્ત રીતે અથવા એકલા મહિલાઓની માલિકીના છે.

આ યોજનામાં પારદર્શિતા લાવવા માટે, પ્રથમ વખત સર્વેક્ષણ કરનાર અને જેનો સર્વે થશે તે દરેકના માટે ફેસ રેકગ્નિશન’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

‘આવાસ પ્લસ એપ’ દ્વારા નવા સર્વે કરવામાં આવશે. સાથે આ વખતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે પાત્રતાના માપદંડો પણ હળવા કરવામાં આવ્યા છે અને કેટલીક મર્યાદાઓ પણ દૂર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ યોજના હેઠળ દેશના ઘણા રાજ્યોને 30 નવેમ્બર સુધીમાં હાઉસિંગ-પ્લસ 2024 સર્વે પુરું કરવા અને 31 ડિસેમ્બર સુધીમાં પાત્ર પરિવારો માટે મકાનો મંજૂર કરવાનો નિર્દેશ કરાયો છે. આ મકાનોનું બાંધકામ એક વર્ષમાં પૂરું થવાની સાંભવના છે.

વર્ષ 2016માં યોજનાની શરૂઆત થઈ ત્યારથી PMAY-G હેઠળ 2.67 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. તો ઈન્દિરા ગાંધી આવાસ યોજના હેઠળ લગભગ 77 લાખ પેન્ડિંગ ઘરોનું નિર્માણ પણ પૂરું થઈ ગયું છે.

PMAY-G યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી, તેમાં પાંચ વર્ષમાં 2.95 કરોડ પાકાં મકાનો બાંધવાનું લક્ષ્‍ય રાખવામાં આવ્યું હતું.

WhatsApp Group Join Now

Leave a Comment