× Special Offer View Offer

મોદી સરકારનો મોટો નિર્ણય, બદલાશે તમારું પાન કાર્ડ, જાણો શું હશે નવા કાર્ડની ખાસિયત?

WhatsApp Group Join Now

તમારે લોન માટે અરજી કરવી હોય કે બેંક ખાતું ખોલાવવું હોય, ફ્લેટ ખરીદવો હોય કે પ્રોપર્ટી… પાન કાર્ડ આવશ્યક દસ્તાવેજોમાંનું એક છે. સરકારે આ પાન કાર્ડમાં મોટા ફેરફારો કર્યા છે.

સોમવારે મોદી કેબિનેટની બેઠકમાં PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વી વૈષ્ણવે કહ્યું કે સરકાર આ માટે 1435 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

નવું PAN કાર્ડ હાલના PAN કાર્ડ કરતાં ઘણું અદ્યતન હશે 10 અંકનું PAN કાર્ડ એક દસ્તાવેજ છે જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે.

તેને વધુ અદ્યતન બનાવીને સરકાર તેને વધુ સારી અને સુરક્ષિત બનાવવા માંગે છે. તેનો હેતુ ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો અને છેતરપિંડી અને ડેટા ચોરીની શક્યતા ઘટાડવાનો છે.

નવું પાન કાર્ડ

નવું PAN કાર્ડ જૂના કરતાં તદ્દન અલગ હશે. નવા પાન કાર્ડ QR કોડ હશે. આ માટે પેપરલેન એટલે કે ઓનલાઈન પ્રક્રિયા અપનાવવામાં આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે લોકોએ આ માટે અલગથી પૈસા ખર્ચવા પડશે નહીં, લોકોએ QR કોડ સાથે PAN માટે અલગથી ખર્ચ કરવાની જરૂર નહીં પડે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

સ્કેનર સાથે ફીટ કરાયેલા નવા પાન કાર્ડમાં ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. લોકોએ QR કોડ સાથે PAN માટે અલગથી ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં.

PAN કાર્ડ 2.0 કેટલું અલગ હશે?

કેન્દ્રીય કેબિનેટે નવા PAN કાર્ડને મંજૂરી આપી, સરકારે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય PAN કાર્ડને વધુ સુરક્ષિત બનાવવા અને કરદાતાઓના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને તમામ સરકારી એજન્સીઓ માટે ‘સામાન્ય વ્યવસાય ઓળખકર્તા’ બનાવવાનો છે.

આ સાથે, પાન કાર્ડની સારી ગુણવત્તાની સાથે, તેની સેવાને વધુ સરળ અને ઝડપી બનાવવી પડશે.

નવું પાન કાર્ડ જૂના પાન કાર્ડથી તદ્દન અલગ હશે. નવા PAN કાર્ડ એટલે કે PAN 2.0 માં, કાર્ડ QR કોડ સાથે આપવામાં આવશે.

WhatsApp Group Join Now

Leave a Comment