ગાંધીનગરથી મોટા અપડેટ આવ્યા છે. વેચાણ દસ્તાવેજમાં 2 લાખથી વધારે રોકડ લખ્યા હશે તો IT ને માહિતી આપવી પડશે. આ અંગે નોંધણી સહ નિરીક્ષક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.
એટલું જ નહિ, માહિતી છુપાવનાર સબ રજીસ્ટાર સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે. દસ્તાવેજોની નોંધણીમાં બ્લેકમાં થતા વ્યવહારો અટકાવા માટે આ નિર્ણય લેવાયો છે.
પરિપત્રમાં શું લખ્યું…
સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણાવાયું કે, નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સૂચના આવેલ છે કે, 2 લાખ રૂપિયા (બે લાખ) કે તેથી વધુ રકમની રકમ રોકડ સ્વરૂવે અવેજ તરીકે વેચાણ દસ્તાવેજમાં દર્શાવે/આપે તો તેની જાણ ઈન્કમટેક્ષ સત્તાધિકારીને કરવાની રહેશે.

જ્યારે ઈન્કમટેક્ષ અધિકારીને રૂપિયા 2 લાખીન (બે લાખ) ની રોકડ રકમ અવેજ તરીકે આપ્યાની જાણ તેમજ તપાસ દરમિયાન અથવા માન્ય રીતે થાય ત્યારે તે પરત્વે શિક્ષાત્મક કાર્યવાહી કરવા મુખ્ય સચિવને જાણ કરવા જણાવેલ છે.
સ્થાવર મિલકતની તબદીલી અથવા તબદીલીને અસર કરતાં દસ્તાવેજો કે જેમાં અવેજનો ઉલ્લેખ હોય તેવા દસ્તાવેજોમાં અવેજ 2 લાખ (બે લાખા કે તેથી વધુની રકમ રોકડ (Cath) સ્વરૂપે આપવાનો ઉલ્લેખ હોય તો તે દસ્તાવેજની માહિતી (દસ્તાવેજની પ્રકાર, અવેજની વિગત, આપનાર-લેનાર પક્ષકારની વિત્રત) ઇન્કમટેક્ષ સત્તાધિકારીને જાણ કરવાની રહેશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ઉપર્યુકત સુચનાનું પાલન થવાનો કેસ અત્રેની કચેરીના ધ્યાને આવીથી સંબંધિત મબ રજીસ્ટ્રર સમક્ષ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અધિકારીએ આઈટીને માહિતી મોકલવી પડશે
આમ, ગુજરાતમાં બ્લેકમની, બેનામી થતા વ્યવહારને અટકાવવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમોને કારણે હવે ગુજરાતમાં તમામ દસ્તાવેજોનુ સંપૂર્ણતઃ વાંચન સબ રજિસ્ટ્રારોએ કરવુ પડશે અને તેમાંથી બે લાખ કે તેથી વધુ રોકડ અવેજનો ઉલ્લેખ હશે તો એ દસ્તાવેજની તમામ માહિતી ઈન્કમટેક્સ ઓફિસરને મોકલાશે.
સરકારના આ નિર્ણયથી શું ફાયદો થશે?
બે લાખ કે તેથી વધુના રોકડાના વ્યવહારો પહેલાથી જ ઈન્કમટેક્સની રડારમાં છે. હાલમાં સબ રજિસ્ટ્રારો તરફથી ઈન્કમટેક્સને જાણ થતી નથી, થાય છે તો વર્ષોના વર્ષો વિતી જાય છે. આ સ્થિતિમાં સુપ્રિમના ચુકાદાથી રોકડમાં વ્યવહારો અર્થાત કોનું કાળુ નાણું ક્યાં અને કેવી સંપત્તિમાં રોકાણ પામ્યુ છે તે શોધવુ સરળ થઈ પડશે.










