Ayushman Card Rules 2025: દેશભરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા માટે શરૂ કરાયેલી આયુષ્માન ભારત યોજના લોકો માટે આશીર્વાદ સાબિત થઈ છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોને આ યોજનાનો લાભ મળતો નથી, એ પણ ત્યારે જ્યારે તેઓ પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં?
ચાલો જાણીએ એવી પરિસ્થિતિઓ વિશે જ્યાં આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ મફત સારવારનો લાભ મળતો નથી:
આ પરિસ્થિતિઓમાં નહીં મળે આયુષ્માન યોજના નો લાભ:
- જો દર્દીની સારવાર ઓપીડીમાં (OPD) થઈ શકે છે અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, તો તેમાં આયુષ્માન કવર લાગુ પડતું નથી.

- ખાનગી હોસ્પિટલના OPD વિભાગમાં આયુષ્માન કાર્ડ માન્ય નથી.
- ફક્ત સામાન્ય ચકાસણી અથવા ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલમાં જવાય છે તો પણ આયુષ્માન યોજના લાગુ પડતી નથી.
- સંગઠિત ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓ જેમના પગારમાંથી PF કપાય છે અથવા તેઓ ESICની સુવિધા લે છે, તેઓ પણ આ યોજનાના પાત્ર નથી.
તો ક્યાં લોકોને મળે છે આયુષ્માનના સંપૂર્ણ લાભ?
- દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે, તો પહેલા 3 દિવસ અને બાદના 15 દિવસ સુધીની તમામ સારવારનો ખર્ચ કવર થાય છે.
- તમામ જરૂરી ટેસ્ટ અને દવાઓનો ખર્ચ આયુષ્માન હેઠળ આવરી લેવાય છે.
- હોસ્પિટલમાં દાખલ હોવાના સમયગાળામાં ભોજનનું ખર્ચો પણ સરકાર ભરે છે.
ખાસ નોંધો:
આ યોજના રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 હેઠળ શરૂ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને – પછી ભલે તેમની આવક કેટલીય હોય – આ યોજનાનો સીધો લાભ મળે છે. પાત્રતાનું માપદંડ આધાર કાર્ડ પર દર્શાવાયેલ ઉંમરને આધારે નક્કી થાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
યાદ રાખો કે આયુષ્માન કાર્ડ હોવું જ પૂરતું નથી, તેની સાથે યોજના અંગેની સાચી જાણકારી પણ હોવી જરૂરી છે. વધુ માહિતી માટે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને તમારા અધિકારોથી વંચિત ન રહેતા.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.