હવે મતદાર યાદીમાં મૃતકોના નામ નહીં દેખાઈ, ચૂંટણી પંચે એક સાથે લીધા ત્રણ નિર્ણય, જાણો શું…

WhatsApp Group Join Now

ચૂંટણી પંચે મતદાર યાદીને વધુ ચોકસાઈપૂર્ણ અને સુધારેલી બનાવવા માટે તાજેતરમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે હવે મૃત્યુ પામેલા લોકોના નામ મતદાર યાદીમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવશે.

અત્યાર સુધીમાં આવા નામ દૂર કરવા માટે, તેમના પરિવારજનોને ફોર્મ-7 ભરવી પડતી હતી અને બાદમાં BLO (બૂથ લેવલ ઓફિસર) સ્થળ તપાસ કર્યા પછી તે નામ દૂર થતું હતું. ઘણી વાર આવા ફોર્મ મોડા આવે ત્યારે મૃતકના નામ લાંબા સમય સુધી યાદીમાં રહેતા હતા. હવે આ પ્રક્રિયામાં મોટી સરળતા લાવવામાં આવી છે.

નવા નિયમ મુજબ, રજિસ્ટ્રાર જનરલ દ્વારા રાખવામાં આવતી મૃત્યુ નોંધણી ડેટાબેઝમાંથી સૂચનાઓ ઈલેક્ટ્રોનિક રીતે સીધી ચૂંટણી નોંધણી અધિકારી (ERO) સુધી પહોંચશે ત્યારબાદ BLO ક્ષેત્ર મુલાકાત કરીને તેનું નિરીક્ષણ કરશે અને નામ તાત્કાલિક યાદીમાંથી દૂર કરી દેશે.

કમિશને એ પણ સુનિશ્ચિત કર્યું છે કે તેમને સમયાંતરે મૃત્યુ નોંધણીની નવીનતમ માહિતી મળી રહે. બીજું મહત્વપૂર્ણ પગલું મતદાર માહિતી સ્લિપ (Voter Information Slip – VIS)માં ફેરફાર કરવાનું છે. VIS હવે વધુ સ્પષ્ટ અને વાચનીય બનાવી દેવામાં આવી છે.

મતદારના સીરિયલ નંબર અને પાર્ટ નંબર (ભાગ નંબર) મોટા અક્ષરમાં દર્શાવાશે, જેથી મતદારોને પોતાનું મતદાન મથક ઓળખવામાં સરળતા રહે. અગાઉ VIS પર આ વિગતો ખૂબ નાની લખાતી હોવાથી ઘણીવાર મતદારોને મુશ્કેલી પડતી હતી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

તૃતીય અને ખૂબ ઉપયોગી નિર્ણય એ છે કે હવે દરેક BLO ને ચૂંટણી પંચ તરફથી ઓળખપત્ર આપવામાં આવશે. હાલમાં BLO તરીકે કામગીરી કરતા કર્મચારીઓ પોતાના વિભાગોના ઓળખપત્રો સાથે કામ કરતા હોવાથી લોકોએ તેમની ઓળખ અંગે શંકા થતી હતી.

હવે તેઓને ચૂંટણી પંચનું અધિકૃત ઓળખપત્ર મળશે, જેમાં તેમનું નામ, હોદ્દો અને ફોટો સમાવિષ્ટ રહેશે. આ નિર્ણયથી મતદારોને પણ વિશ્વાસ વધશે અને BLO પોતાનું કાર્ય વધુ વિશ્વસનીય રીતે કરી શકશે.

WhatsApp Group Join Now

Leave a Comment