ટૂંક સમયમાં તમારે કારનો વીમો ખરીદવા માટે વધુ ચૂકવણી કરવી પડી શકે છે. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) એ કાર થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં સરેરાશ 18% નો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
જો કે, કેટલીક વાહન કેટેગરીમાં, આ વધારો 20% થી 25% સુધી હોઈ શકે છે. આ દરખાસ્ત હાલમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા સમીક્ષા હેઠળ છે, જે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં તેનો નિર્ણય જાહેર કરે તેવી અપેક્ષા છે.
થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ શું છે?
થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ થર્ડ પર્સન માટે છે. એટલે કે, એક તમે છો, બીજી કંપની છે અને ત્રીજો તે છે જેની કારને નુકસાન થયું છે. આ એવી રીતે સમજીએ કે તમે વાહન ચલાવી રહ્યા છો અને કોઈપણ કારણોસર તમારી કારનું એકસીડન્ટ થાય છે.

જો બાઇક સવાર કે કાર ચાલક આ અકસ્માતમાં ઘાયલ થાય છે, તો થર્ડ પાર્ટી વીમો અહીં કામમાં આવશે. વીમા કંપની થર્ડ પર્સનની બાઇકને થયેલા નુકસાનની ભરપાઈ કરશે.
આ ઉપરાંત, ઘાયલ વ્યક્તિનો તબીબી ખર્ચ પણ થર્ડ પાર્ટી પ્રીમિયમ વીમામાં આવરી લેવામાં આવશે. મોટર વાહન કાયદા હેઠળ, વર્ષ 2018 થી, જે કોઈ પણ કાર ખરીદે છે, તેને 3 વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત રહેશે.
2-3 અઠવાડિયામાં નિર્ણય લઈ શકાય છે
આ જ કારણ છે કે IRDAI એ થર્ડ પાર્ટી વીમાના ભાવમાં વધારો સૂચવ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય આ અંગે અંતિમ નિર્ણય લેશે. 2-3 અઠવાડિયામાં નિર્ણય લઈ શકાય છે.
મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા પછી, જાહેર સંમતિ માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરવામાં આવશે. ત્યારબાદ સૂચનો લેવાની અને સમીક્ષા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પછી જ ફેરફારો કરવામાં આવશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ વીમામાં તમારા દ્વારા થયેલા કોઈપણ પ્રકારના નુકસાનની ભરપાઈ કરવામાં આવશે નહીં. એટલે કે, જો તમારા વાહનને અકસ્માતમાં નુકસાન થાય છે, તો તેને થર્ડ પાર્ટી વીમા હેઠળ વળતર આપવામાં આવશે નહીં. તેના માટે, તમારે ફક્ત સામાન્ય કવર સાથે જ વ્યવસ્થા કરવી પડશે.