આંગણવાડી ભરતી: આંગણવાડીમાં 9 હજારથી વધુ ભરતીની જાહેરાત, ઈચ્છુક મહિલાઓ 30 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે…

WhatsApp Group Join Now

Gujarat Anganwadi Bharti 2025: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં મળીને 10 હજાર જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, રાજ્યમાં આંગણવાડી કાર્યકરની 4259 તેમજ આંગણવાડી તેડાગરની 5657 મળીને કૂલ 9934 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવામાં આવી છે.

જે માટે આગામી 30 ઓગસ્ટ સુધી સુધી અરજી કરી શકાશે. જે પૈકી સૌથી વધુ 619 જગ્યા માટે ભરતી કચ્છ જિલ્લામાં કરવામાં આવશે. જ્યારે સૌથી ઓછી 33 જગ્યા પર ભરતી ગાંધીનગર શહેરમાં કરવામાં આવશે.

વય મર્યાદા

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આંગણવાડી કાર્યકર અને તેડાગરની પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક મહિલાની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ થઈ ચૂકી હોવી જોઈએ અને 33 વર્ષથી વધારે ના હોવી જોઈએ. જ્યારે તેડાગર બહેનની ઉંમર 43 વર્ષથી વધુ ના હોવી જોઈએ.

ક્યાં સુધી ઑનલાઈન અરજી કરી શકાય?

જાહેર કરવામાં આવેલી ભરતી અંતર્ગત અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ (https://e-hrms.gujarat.gov.in) પર અંગ્રેજીમાં ઑલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેમાં ઈચ્છુક ઉમેદવાર જે-તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરીને આંગણવાડી કાર્યકર કે તેડાગર કાર્યકર માટે આગામી 30 ઓગસ્ટ રાતે 12 વાગ્યા સુધી અરજી કરી શકશે.

પગાર ધોરણ

આ માટે આંગણવાડી કાર્યકરને 10 હજાર, મિની આંગણવાડી કાર્યકરને 10 હજાર તેમજ આંગણવાડી તેડાગરને 5500 રૂપિયાનું માસિક પગાર આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આંગણવાડી કાર્યકર/મીની આંગણવાડી કાર્યકરની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અને આગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઈચ્છુક મહિલા અરજી કરી શકશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. લેવાના થતા માનવબળની સેવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.

કેટલીક જરૂરી સૂચના

  • આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધીત મામલતદાર દ્વારા આપવાના થતા નિયત નમુનાનું રહેવાસી પ્રમાણપત્રની તારીખે, ઓછામાં ઓછી એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવા જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસુલી ગામમાં સ્થાપન થયેલી હશે તે મહેસુલી ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધીત નગરપાલિકા/મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ.
  • આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે નક્કી કરેલ નમૂનાનું, જન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું આ કામ માટેનું સંબંધીત મામલતદારની કચેરીનું જ પ્રમાણપત્ર જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખે છ મહિનાથી પહેલાનું ન હોવુ જોઈએ.
  • અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
  • અરજદારે ઓનલાઇન અરજીમાં જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અપલોડ કરવાના તેમજ રજૂ કરવાના રહેશે.
  • અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય, અને અરજદાર સામે પોલિસ ફરિયાદ થયેલ હોય, નામદાર કોર્ટ દ્વારા સજા જાહેર કરેલ હોય તેવી વ્યકિત અરજી કરી શકાશે નહી.
  • એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર/તેડાગર એક જ કુટુંબના સભ્ય માટે જેમ કે સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, બે બહેનો, નણંદ-ભાભીના સંબંધ થશે તેવી પરિસ્થિતિ બનતી હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહી.

ગુજરાતના ક્યા જિલ્લામાં કેટલી આંગણવાડી વર્કર અને તેડાગર બહેનો માટે ભરતી થશે?

શહેર-જિલ્લાઆંગણવાડી કાર્યકરહેલ્પર
સુરત શહેર5292
અમદાવાદ શહેર217351
વડોદરા97144
ગીર સોમનાથ8691
ડાંગ3227
પોરબંદર4465
તાપી8989
આણંદ179215
ભાવનગર135196
જૂનાગઢ90124
મહીસાગર6381
ગાંધીનગર શહેર1122
વલસાડ159158
નવસારી125117
સુરત ગ્રામ્ય134127
મોરબી101182
જૂનાગઢ શહેર90124
ખેડા136160
ગાંધીનગર ગ્રામ્ય7382
દેવભૂમિ દ્વારકા74135
અમરેલી149185
અમદાવાદ ગ્રામ્ય148172
કચ્છ245374
ભાવનગર શહેર3746
નર્મદા8173
મહેસાણા186207
બનાસકાંઠા168379
વડોદરા શહેર4064
પંચમહાલ92106
દાહોદ157179
બોટાદ5464
સાબરકાંઠા137142
પાટણ130166
સુરેન્દ્રનગર126172
અરવલ્લી83111
જામનગર શહેર4441
રાજકોટ114191
ભરૂચ81120
છોટા ઉદેપુર80112
જામનગર ગ્રામ્ય84141
રાજકોટ ગ્રામ્ય3648
WhatsApp Group Join Now

Leave a Comment