શરીરમાં આ સંકેતો દેખાય તો તેને અવગણશો નહીં, આ લક્ષણો ખતરનાક સાબિત થઈ શકે છે…

WhatsApp Group Join Now

ફેફસાંનું કેન્સર એ વિશ્વના સૌથી ખતરનાક કેન્સર માનવવામાં આવે છે, જેની સમયસર સારવાર ન થાય તો જીવલેણ સાબિત થાય છે. 1 ઓગસ્ટના રોજ વિશ્વ ફેફસાંનું કેન્સર દિવસ ઉજવીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

1 ઓગસ્ટ – વિશ્વ ફેફસાંનું કેન્સર દિવસ

કેન્સરનું નામ સાંભળતા જ લોકો ડરી જતા હોય છે કારણ કે આ રોગ ખૂબ જ ગંભીર છે. તો વિશ્વ ફેફસાનું કેન્સર દિવસ દર વર્ષે 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.

આ દિવસનો મુખ્ય હેતું લોકોને ફેફસાંના કેન્સરના લક્ષણો અને તેના જોખમો માટે જાગૃતા ફેલવાનો છે. સાથે તેના સારવાર વિશે પણ માહિતી આપવાનો છે.

લોકોમાં જાગૃતા

આ દિવસ પર અનેક જગ્યા પર લોકોને આના વિશે જાગૃતા માટે સમજાવામાં આવે છે. સાથે લોકો આ બીમારીમાં ગભરાવાની જગ્યા પર ટાઇમ પર તપાસ કરાવે અને પહેલા જ લક્ષણો ઓળખી લો જેથી સમયસર યોગ્ય સારવાક મેળવી શકે છે.

ફેફસાંનું કેન્સર શું છે?

આ રોગ ફેફસાંના કોષોમાં શરૂ થાય છે અને જ્યારે કોષો અસમાન્ય રીતે વધતા રહે છે ત્યારે ગાંઠ બનાવી દે છે. જો આ ગાંઠ સમયસર નહિ ઓળખાય તો તે શરીરના અન્ય અંગોમાં પણ ફેલાઈ શકે છે. ફેફસાં આપણા શરીરને ઓક્સિજન આપવાનું કામ કરે છે અને તેનું બગડવું ગંભીર છે.

કેન્સરના મુખ્ય બે પ્રકાર

ફેફસાંના કેન્સરનાં મુખ્ય બે પ્રકાર છે- નોન સ્મોલ સેલ લંગ કેન્સર (NSCLC) – સૌથી સામાન્ય, ધીમે વધે છે અને સ્મોલ સેલ લંગ કેન્સર (SCLC) – દુર્લભ અને ઝડપથી ફેલાય છે.

પ્રારંભિક લક્ષણો જોઈને સાવચેત રહો

ફેફસાંના શરૂઆતના લક્ષણોની વાત કરીએ તો સતત ઉધરસ, લોહીવાળી ખાંસી, શ્વાસમાં તકલીફ, છાતીમાં દુખાવો, અવાજનું ભારે પડવું, અચાનક થાક અને વજન ઘટાડો જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો જોવા મળે તો 2 અઠવાડિયાથી વધુ અવગણશો નહીં.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ધૂમ્રપાન જ માત્ર કારણ નહીં

આજના સમયમાં ફેફસાંનું કેન્સર ફક્ત ધૂમ્રપાન કરનારા લોકોમાં જ નહીં પણ ધૂમ્રપાન ન કરતા લોકોને પણ થાય છે. વાયુ પ્રદૂષણ, રેડોન ગેસ, સેકન્ડહેન્ડ સ્મોક અને આપત્તિજનક હેરિડિટરી કારક પણ જવાબદાર છે.

ભ્રમો સામે સાચી જાણકારી જરુરી

લોકોમાં ફેફસાના કેન્સર વિશે ઘણી ખોટી માન્યતાઓ છે – જેમ કે “ફક્ત ધૂમ્રપાન કરનારાને જ થાય છે”, “આ હંમેશાં ઘાતક જ હોય છે”, અથવા “ફક્ત વૃદ્ધોને થાય છે”. વાસ્તવમાં, યોગ્ય સમય પર તપાસ અને સારવારથી જીવન બચાવી શકાય છે.

નિયમિત તપાસ અને જાગૃતિથી બચાવ શક્ય

ફેફસાના કેન્સરથી દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો મોતને ભેટે છે. જો લોકો સમયસર લક્ષણો ઓળખે અને તપાસ કરાવે તો તેમનું જીવન બચાવી શકાય છે. જાગૃત રહો, સમયસર પગલાં લો અને જીવલેણ રોગ સામે સાવચેત રહો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment