ગરમીમાં બાજરો ખાવો કે નહીં? બાજરો શરીરને ગરમ પડે કે ઠંડો? જાણો શું કહે છે એક્સપર્ટ…

WhatsApp Group Join Now

આપણે ત્યાં વર્ષોથી વિવિધ પ્રકારનું અનાજ ખાવામાં છે. ઘઉં, ચોખા, જુવાર, રાગી, જવ અને બાજરીનો ભરપૂર ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ. એમાં પણ આજકાલ લોકો પોતાના હેલ્થનું ઘણું ધ્યાન રાખે છે.

જેને માટે થઈને જમવામાં ઘઉંની જગ્યાએ લોકો જુવાર અને બાજરી જેવા અનાજનો ઉપયોગ કરવા લાગ્યા છે. એમાં પણ ખાસ કરીને ઠંડી ચાલુ થાય ત્યારે આખો શિયાળો બાજરો ખાતા હોઈએ છીએ.

ગરમ ગરમ બાજરાના રોટલા સાથે ઓળો ખાવાની મજા જ કંઈક અલગ છે. બાજરો આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે, તેનાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે, બાજરાની તાસીર ગરમ છે, માટે તેને ગરમીમાં ન ખાવો જોઈએ, કારણ કે તે ગરમ પડે. પરંતુ શું ખરેખર બાજરો ગરમ પડે? તેને ઉનાળામાં ખાવો જોઈએ ખરા?

આ પ્રશ્ન ખરેખર લોકોને થતો જ હોય છે, કારણ કે આપણે તો નાનપણથી એવું સાંભળતા જ આવ્યા છીએ કે ગરમીમાં બાજરો ગરમ પડે માટે ન ખવાય. શું ખરેખર ગરમીમાં બાજરો ન ખાઈ શકાય? ઉનાળામાં બાજરી ગરમ પડે. તો ચાલો આનો જવાબ આપણે ડાયટીશ્યન પાસેથી મેળવીએ.

ઉનાળામાં બાજરો ખાવો જોઈએ કે નહીં?

ડાયટિશિયનના અનુસાર, આવો પ્રશ્ન ખાસ કરીને એવા લોકો પૂછે છે કે જેઓ સ્વાસ્થ્ય સારું રાખવા માટે બાજરાનો ઉપયોગ કરે છે. જેમ કે ડાયાબિટીસ, ગ્લુટેન એલર્જી અથવા હૃદયની તકલીફોથી બચવા માટે અને વજન ઘટાડવા માટે બાજરીનો ઉપયોગ કરી રહ્યા છે.

ઘણા લોકોએ તેમના રોજિંદા આહારમાં બાજરીનો સમાવેશ કર્યા પછી સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારાઓ જોયા છે. માટે જ, સ્વાભાવિક રીતે તેઓને જાણવું હોય છે કે શું તેઓ ઉનાળા જેવી ઋતુમાં પણ બાજરી ખાઈ શકે કે નહીં?

બાજરી પાચન પછી શરીરને ઠંડુ રાખે છે.

બાજરી સદીઓથી ભારતીય કૃષિ અને સંસ્કૃતિનો ભાગ રહી છે અને આયુર્વેદમાં પણ ખાસ મહત્વ ધરાવે છે, બાજરી પાચન પછી શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ભારતમાં મોટાભાગે ગરમ પ્રદેશો વધુ છે. આ માટે જ જો આપણે ગરમ દેશમાં રહીએ છીએ તો ઉનાળામાં પણ બાજરી ખાઈ શકીએ છીએ.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

બાજરી ખાવાથી આપણું શરીર આખું વર્ષ સ્વસ્થ રહે છે. બાજરીને ઠંડક અને હાઇડ્રેશન આપતા ખોરાક સાથે જેમ કે કાકડી, નાળિયેર અથવા દહીં સાથે ખાવાથી અથવા તેનો શીરો બનાવવાથી ઉનાળામાં તે શરીર માટે ખૂબ ફાયદાકારક બની શકે છે. આ સાથે જ બાજરીની છાશ પણ પી શકાય છે.

ઉનાળામાં પણ બાજરી ખાઈ શકાય છે.

રાજસ્થાન અને ગુજરાત જેવા ગરમ પ્રદેશોમાં બાજરીનો ઉપયોગ ઘણા વર્ષોથી થાય છે. બાજરી, જે ગરમ અનાજ છે એ ગરમ વાતાવરણમાં સારી રીતે ઉગે છે. બાજરીમાં શરીરને ગરમી સાથે અનુકૂલન સાધવા માટેની અનોખી ક્ષમતા છે. તેનું ઉચ્ચ ફાઇબર સામગ્રી હાઇડ્રેશન અને ઊર્જા નિયમનમાં મદદ કરે છે, આ માટે જ આપણે ઉનાળામાં પણ બાજરી આરામથી ખાઈ શકીએ છીએ.

જો બાજરીનો યોગ્ય ઘટકો સાથે તૈયાર કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તે આપણા શરીર અને હેલ્થ માટે ફાયદાકારક રહી શકે છે. એટલે ઉનાળામાં પણ બાજરી ખાઈ શકાય છે. બાજરીને આખા વર્ષ દરમિયાન ખાવી જોઈએ. હા, પરંતુ એટલું જરૂર ધ્યાન રાખો કે બાજરી યોગ્ય પ્રમાણમાં ખાવી જરૂરી છે. જેથી તેનો પૂરેપૂરો ફાયદો મળી શકે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment