ફ્રિજમાં જો તમે પણ આ 9 વસ્તુઓ રાખી રહ્યા છો અને વિચારી રહ્યા છો કે, આ વસ્તુ એકદમ ફ્રેશ રહેશે કે તાજીમાજી રહેશે તો એવા વહેમમાં ન રહેતા.
ફ્રિજમાં વસ્તુઓનો સંગ્રહ કરવો હિતાવહ છે પણ અમુક સમય સુધી, કેમ કે ખાવાની કેટલીક વસ્તુઓ જો ફ્રિજમાં રાખો છો અને પછીથી તેને જમવામાં ઉપયોગ કરી રહ્યા છો, તો તે તમારા માટે નુકસાનરૂપી સાબિત થઇ શકે છે.

તરબૂચ
તરબૂચ આમ જોવા જઈએ તો, એક એવું ફળ છે જેમાં પાણીનું પ્રમાણ પુરતું હોય છે. પરંતુ તરબૂચને ફ્રિજમાં રાખવું યોગ્ય નથી. ફ્રિજમાં રાખેલ તરબૂચને જો તમે ખાઓ છો, તો તમને શરદી થઇ શકે છે.
બ્રેડ
મોટાભાગના લોકો બ્રેડ ફ્રિજમાં મૂકી રાખે છે અને પછી જ ખાય છે. જો કે, આ વસ્તુ કરવી અયોગ્ય છે. કહેવાય છે કે, બ્રેડને ફ્રેશ હોય ત્યારે જ ખાવી જોઈએ અને એક જ દિવસમાં તેને ખાઈ લેવી જોઈએ.
ડુંગળી
ડુંગળી હંમેશા સૂકી અને અંધારાવાળી જગ્યાએ રાખવી જોઈએ. ફ્રિજમાં ડુંગળી રાખવાથી તે અંકુરિત થઈ શકે છે, જે ખાવા માટે સારી નથી. જો કોઈ કારણોસર તમે ફ્રિજમાં ડુંગળી રાખી રહ્યા છો, તો તેને ફોઈલ પેપરમાં ઢાંકીને રાખવી જોઈએ.
મધ
રેફ્રિજરેટરમાં મધ રાખવાથી તેની આખી રચના બદલાય છે અને તે એક જગ્યાએ જામી જાય છે. મધને હંમેશા રૂમના તાપમાને રાખવી જોઈએ, જેથી તે લિક્વિડ સ્વરૂપમાં રહે. ફ્રિજમાં મધ રાખવાથી તેનો સ્વાદ બગડી જાય છે.
એવોકાડો
એવોકાડો, આ ફળ પણ રેફ્રિજરેટરમાં રાખ્યા પછી ન ખાવું જોઈએ. વાસ્તવમાં આ ફળ જ્યારે ઠંડુ થાય છે, ત્યારે તેમાં રહેલું ન્યુટ્રીશન જતું રહે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
બટાટા
બટાટાને પણ ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખવા જોઈએ. ઠંડા તાપમાનમાં, બટાકામાં સ્ટાર્ચ સુગરમાં ફેરવાય છે, જે તેનો આખો સ્વાદ બદલી નાખે છે. હવે આનાથી પાચનમાં પણ મુશ્કેલી થઇ શકે છે.
બદામ
બદામને રેફ્રિજરેટરમાં ક્યારેય ન રાખવું જોઈએ. જ્યારે તે રેફ્રિજરેટરના તાપમાનમાં રહે છે, ત્યારે તેનો સ્વાદ બદલાય છે, તેમજ તેમાં રહેલ ગુણો પણ દૂર થઇ જાય છે. આને હંમેશા એક રૂમના તાપમાને હવા-ચુસ્ત કન્ટેનરમાં રાખવા જોઈએ.
ડાર્ક ચોકલેટ
લોકો મોટાભાગની ચોકલેટ ફ્રિજમાં રાખે છે. તેને રેફ્રિજરેટરમાં રાખવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે અને બીજું કે, તેનો રંગ પણ બદલાઈ જાય છે. તેથી જ ડાર્ક ચોકલેટને ફ્રિજની બહાર રાખવી જોઈએ.
ટામેટા
ટામેટાને રેફ્રિજરેટરમાં રાખવાથી સ્વાદમાં ફર્ક જોવા મળે છે. આના કારણે તેનો સ્વાદ પહેલા જેવો રહેતો નથી. ખાસ વાત કે, તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ પણ ઓછા થઈ જાય છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.