જીવલેણ ન્યુમોનિયાના લક્ષણો; ઉધરસને સામાન્ય ગણી લાંબા સમય સુધી ઈગ્નોર ન કરો, નહીં તો…

WhatsApp Group Join Now

ચોમાસામાં વાતાવરણમાં અચાનક ફેરફાર થાય છે. ક્યારેક વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય તો ક્યારેક બફારો અને ગરમી હોય છે. ચોમાસામાં અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાનો પ્રકોપ પણ વધી જાય છે. ચોમાસાના દિવસોમાં શ્વાસ સંબંધિત સમસ્યાનું જોખમ અનેક ઘણું વધે છે.

આ ઋતુમાં નિમોનિયાનું રિસ્ક પણ વધી જાય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ન્યૂમોનિયાનો શિકાર ઝડપથી થઈ જાય છે. ન્યૂમોનિયા એવી બીમારી છે જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેથી તેના શરૂઆતથી લક્ષણોને ઓળખવા ખૂબ જ જરૂરી છે.

ન્યૂમોનિયા થવાનું કારણ

ન્યૂમોનિયા એવી બીમારી છે જે થઈ જાય તો ફેફસા સોજી જાય છે અને વ્યક્તિનો જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. ન્યૂમોનિયા બેક્ટેરિયા, વાયરસ, ફંગસ કે એલર્જીના કારણે પણ થઈ શકે છે.

નિમોનિયાના લક્ષણો

દરેક વ્યક્તિમાં ન્યૂમોનિયા ના લક્ષણ અલગ અલગ હોય છે. કેટલાક લોકોને શરૂઆતમાં તાવ આવે છે અને ઠંડી લાગે છે સાથે જ શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. ન્યૂમોનિયા થઈ જાય તો છાતીમાં દુખાવો પણ રહે છે. નિમોનિયામાં શ્વાસ લેતી વખતે છાતીમાં દુખાવો અનુભવાય છે. ઘણા લોકોને નિમોનિયામાં શરદી, ઉધરસ અને કફ થઈ જાય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

નિમોનિયા ગંભીર સ્થિતિમાં હોય તો વ્યક્તિને કફમાં લોહી પણ નીકળે છે. નિમોનિયા થઈ જાય તો વ્યક્તિને થાક ઝડપથી લાગે છે અને આખો દિવસ નબળાઈનો અનુભવ થાય છે. વ્યક્તિને નિમોનિયા થઈ જાય તો નખ અને ત્વચા બ્લુ જેવા દેખાય છે.

નિમોનિયા થવાનું જોખમ કોને સૌથી વધારે?

નિમોનિયાના મામલા પાંચ વર્ષથી નાના બાળકોમાં વધારે જોવા મળે છે. નિમોનિયાના કારણે બાળકોનો જીવ પણ જઈ શકે છે. 60 વર્ષથી વધુના લોકોને પણ નિમોનિયા થવાનું રિસ્ક વધારે હોય છે.

નિમોનિયા થવાનું કારણ

ઠંડુ અને ભેજવાળું વાતાવરણ, નબળી રોગ પ્રતિકારક શક્તિ, પોષક તત્વની ખામી અથવા તો ફંગસ કે સંક્રમણના કારણે પણ ન્યુમોનિયા થઈ શકે છે. નિમોનિયાના બેક્ટેરિયા ઉધરસ કે છીંકના માધ્યમથી અન્ય લોકો સુધી પણ પહોંચી શકે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment