× Special Offer View Offer

દેશની મોટી સરકારી બેંકે કરોડો ખાતાધારકોને આપ્યો ઝટકો! અહીં જાણો કોને થશે કેટલું નુકસાન…

WhatsApp Group Join Now

દેશની અગ્રણી સરકારી બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંકે ફરી એકવાર ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દરો 1 મે, 2025થી લાગુ થશે. જોકે, આ ફેરફાર એવા રિટેલ ગ્રાહકોને લાગુ પડશે જેમની થાપણો ૩ કરોડ રૂપિયાથી ઓછી છે.

આ રીત હવે સામાન્ય ગ્રાહકોને FD પર 3.50% થી 7.10% સુધીનું વ્યાજ મળશે. અગાઉ એપ્રિલ 2025માં પણ બેંકે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો પર FD વ્યાજમાં ફેરફાર કર્યો હતો. આ વખતે બેંકે કેટલાક ટૂંકા ગાળાના અને મધ્યમ ગાળાના FD પરના વ્યાજ દરમાં મહત્તમ 25 બેસિસ પોઈન્ટ (0.25%)નો ઘટાડો કર્યો છે.

PNBમાં FD પરનો નવીનતમ વ્યાજ દર

આ ફેરફાર પછી સામાન્ય નાગરિકોને પંજાબ નેશનલ બેંકમાં 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.50% થી 7.10% સુધીનું વ્યાજ મળશે. 390 દિવસની FD પર સૌથી વધુ વ્યાજ આપવામાં આવશે જે 7.10% છે.

180થી 270 દિવસના સમયગાળા માટે વ્યાજ દર હવે 6.25% થી ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. તો 271 થી 299 દિવસના સમયગાળા માટે, વ્યાજ દર હવે 6.5% થી ઘટીને 6.25% થઈ ગયો છે.

જ્યારે 303 દિવસની એફડી માટે વ્યાજ દર હવે 6.4% થી ઘટીને 6.15% થઈ ગયો છે. ઉપરાંત, 304 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળા માટે વ્યાજ દર 6.5% થી ઘટીને 6.25% થયો છે. તો 1 વર્ષની FD માટે વ્યાજ દર હવે 6.8% થી ઘટીને 6.7% થઈ ગયો છે.

વરિષ્ઠ નાગરિકો માટે નવીનતમ વ્યાજ દર

60 વર્ષથી વધુ અને 80 વર્ષથી ઓછી ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ સુધીના સમયગાળા માટે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો માટે સામાન્ય દર કરતાં 0.50% વધુ વ્યાજ દર અને 5 વર્ષથી વધુ સમયગાળા માટે 0.80% વધુ વ્યાજ દર મળશે. આ રીતે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 4.00% થી 7.60% સુધીના છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

સુપર સિનિયર સિટીઝન્સ માટે નવીનતમ વ્યાજ દર

પંજાબ નેશનલ બેંક 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને તમામ એફડી પર સામાન્ય દર કરતાં 0.80% વધુ વ્યાજ આપે છે. આ રીતે સુપર સિનિયર સિટીઝનને 4.30% થી 7.90% સુધીનું વ્યાજ મળશે.

WhatsApp Group Join Now

Leave a Comment