આગામી 5 વર્ષમાં, ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું મંદિર અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય બનાવવામાં આવ્યું નથી.
મધ્યપ્રદેશને ભારતનું હૃદય કહેવામાં આવે છે. મધ્યપ્રદેશની સંસ્કૃતિ, વારસો, ઇતિહાસ, કપડાં, પરંપરા અને ત્યાંનો ખોરાક તેને બીજા રાજ્યોથી અલગ બનાવે છે.

અહીં ધાર્મિક સ્થળોથી લઈને હિલ સ્ટેશનો સુધીના ઘણા સ્થળો એવા છે કે જોવાલાયક છે. એકવાર જો પ્રવાસીઓ અહીંયા પગ મૂકી દે તો પછી પાછું જવાનું નામ નથી લેતા.
હવે આનાથી પણ અદભૂત વાત તો એ કે મધ્યપ્રદેશ ફરી એકવાર ચર્ચામાં આવશે. વાત એમ છે કે, આગામી 5 વર્ષમાં મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું મંદિર અત્યાર સુધી દુનિયામાં ક્યાંય બન્યું નથી.
આગામી 5 વર્ષમાં તૈયાર
આ મંદિરનું નિર્માણ કાર્ય 9 વર્ષથી ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે, મંદિરનું નિર્માણ જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગરના આશીર્વાદથી વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું.
મંદિર નિર્માણ સમિતિના જણાવ્યા અનુસાર, આગામી 5 વર્ષમાં આ મંદિર તૈયાર થઈ જશે. આ મંદિરના નિર્માણ માટે રાજસ્થાન અને ગુજરાતના લાલ અને પીળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
મંદિર સમિતિના સભ્યની માહિતી અનુસાર, મંદિરમાં 11 લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ પથ્થરનો ઉપયોગ અયોધ્યા મંદિર અને કુંડલપુરના જૈન મંદિરમાં પણ કરવામાં આવ્યો હતો.
324 મૂર્તિઓ અને ટોચ 216 ફૂટ ઊંચી
આ મંદિરમાં લગભગ 324 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે અને આની ટોચ 216 ફૂટ ઊંચી હશે. આ મંદિર અંગે આચાર્ય વિદ્યાસાગરે કહ્યું હતું કે, આ મંદિરથી જ્યાં સુધી શિખર દેખાશે ત્યાં સુધીના વાસ્તુ દોષો આપમેળે દૂર થઈ જશે.
મંદિરની વિશેષતા વિશે વાત કરીએ તો, અહીં 12 મૂળ નાયક અને 12 વિધિ નાયક દેવતાઓ બિરાજમાન થશે. આના દરેક ખંડની ઊંચાઈ લગભગ 40 ફૂટ જેટલી હશે. મંદિરની સામે પૂર્વ દિશામાં સહસ્ત્ર જિનાલયનું પણ નિર્માણ કરવામાં આવશે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.