૧ મે, ૨૦૨૫ થી, રેલવેએ મુસાફરોની ટિકિટ સંબંધિત એક મોટો ફેરફાર કર્યો છે. આનાથી મુસાફરોને મુસાફરી દરમિયાન થતી અસુવિધામાંથી રાહત મળશે, પરંતુ સ્લીપર અથવા એસી કોચમાં ચઢવા માટે વેઇટિંગ ટિકિટ લેનારાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
રેલવે ૧ મે, ૨૦૨૫ થી એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ અંતર્ગત હવે કોઈ પણ મુસાફર વેઇટિંગ ટિકિટ સાથે એસી કે સ્લીપર કોચમાં પ્રવેશ કરી શકશે નહીં.

નવા નિયમો હેઠળ, હવે વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરોને ફક્ત જનરલ કોચમાં જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કોઈ મુસાફર બળજબરીથી સ્લીપર કે એસીમાં ઘુસી જાય તો તેને ભારે દંડ ભરવો પડશે.
૧ મેથી, જો કોઈ મુસાફર વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરે છે, તો તેને ઓછામાં ઓછા ૨૫૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત, અન્ય ધોરણો મુજબનું ભાડું અલગથી વસૂલવામાં આવશે.
બીજી તરફ, જો તમે વેઇટિંગ ટિકિટ સાથે બીજા કે ત્રીજા એસી કોચમાં મુસાફરી કરો છો, તો તમારી પાસેથી ઓછામાં ઓછો 440 રૂપિયા દંડ અને અંતર પ્રમાણે ભાડું વસૂલવામાં આવશે. તેમજ TTE ને તમને જનરલ કોચ પાસે મોકલવાનો અધિકાર છે.
કૃપા કરીને નોંધ લો કે જો ઓનલાઈન વેઈટિંગ ટિકિટ કન્ફર્મ ન થાય તો તે આપમેળે રદ થઈ જાય છે. પરંતુ લોકો કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટ લઈને સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરે છે, જેના કારણે અન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ ઉપરાંત, રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ 4 મહિના પહેલા એટલે કે 120 દિવસ પહેલા કરવામાં આવતું હતું, પરંતુ હવે તેનો સમય ઘટાડીને ફક્ત બે મહિના એટલે કે 60 દિવસ કરવામાં આવ્યો છે.
કેટલાક અહેવાલો કહે છે કે રેલ્વે ટૂંક સમયમાં ભાડા અને રિફંડ સંબંધિત ચાર્જમાં વધારો કરી શકે છે. જોકે, હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ જો નિયમો બદલાશે તો સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધશે.