ડાયાબિટીસના દર્દીઓ જો આહાર પર ધ્યાન ન આપે તો સુગરને કંટ્રોલ કરવી મુશ્કેલ બની શકે છે. કેમ કે તમે જે ખાઓ છો તે તમારા બ્લડ સુગર લેવલને અસર કરે છે. આથી ડાયાબિટીસના દર્દીઓએ ઓછા કાર્બોહાઇડ્રેટ્સ અને ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક ખાવા જોઈએ.
ડાયાબિટીસમાં ફળો અને શાકભાજી સામાન્ય રીતે સ્વસ્થ માનવામાં આવે છે પરંતુ કેટલીક શાકભાજી એવી છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક સાબીત થઈ શકે છે.

ચાલો જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં કઈ શાકભાજીનો સમાવેશ ન કરવો જોઈએ અથવા ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ.
બટાકા
બટાકામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ વધારે હોય છે અને તે સ્ટાર્ચથી પણ ભરપૂર હોય છે. આથી બટાકા વધુ માત્રામાં ખાવાથી બ્લડ સુગરનું લેવલ વધી શકે છે.
એટલું જ નહીં બટાકા સરળતાથી પચી પણ જાય છે. આથી તે ઝડપથી લોહીમાં ગ્લુકોઝ રિલીઝ કરે છે અને સુગરનું લેવલ વધવા લાગે છે. આથી ડાયાબિટીસના દર્દીઓને બટાકા ખાવાથી પ્રોબ્લેમનો સામનો કરવો પડી શકે છે.
સ્વીટ કોર્ન
સ્વીટ કોર્નમાં મીડિયમ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે પરંતુ તેમાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે. આથી જો તેને વધુ માત્રામાં ખાવામાં આવે તો બ્લડ સુગર વધી શકે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ મર્યાદિત માત્રામાં સ્વીટ કોર્ન ખાવા જોઈએ.
રતાળુ
રતાળુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલા માટે લોકો તેનું શાક ખૂબ જ શોખથી ખાય છે. પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. આ શાકભાજીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તેમાં કાર્બોહાઇડ્રેટ્સ પણ વધુ પ્રમાણમાં હોય છે. આથી તેને ખાવાથી બ્લડ સુગરનું લેવલ ઝડપથી વધી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સૂરણ
સૂરણ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર લેવલ પણ વધી શકે છે. ભલે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ મીડિયમ હોય પરંતુ જો તેનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો સુગરનું લેવલ વધી શકે છે. આથી ડાયાબિટીસના દર્દીઓએ સૂરણ ન ખાવુ જોઈએ અથવા તેને ખૂબ ઓછી માત્રામાં ખાવુ જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું?
ડાયાબિટીસના પેશન્ટે આહારમાં એવા શાકભાજીનો સમાવેશ કરો જેમાં સ્ટાર્ચ ઓછું હોય અને ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય. આ શાકભાજી ખાવાથી બ્લડ સુગરનું લેવલ અચાનક નહીં વધે અને સ્વાસ્થ્યને પણ ફાયદો થશે.
ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા પાંદડાવાળા શાકભાજી ફાયદાકારક છે. તેમાં ફાઇબર, પ્રોટીન, વિટામિન અને ખનિજો હોય છે, જે સુગરને કંટ્રોલ કરવામાં અને સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.