× Special Offer View Offer

આ 5 લોકોએ ભૂલથી પણ સરગવાનું સેવન ન કરવું જોઈએ, તેમને ફાયદાની જગ્યાએ થશે ગંભીર નુકસાન…

WhatsApp Group Join Now

Moringa Side Effects: ઉનાળાની ગરમીએ જોર પકડાની સાથે જ શાક માર્કેટમાં લીલો સરગવો દરે બીજી-ત્રીજી લારીએ જોવા મળી જાય છે. આયુર્વેદમાં સરગવાનો ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

આજ કારણોસર આ સિઝનમાં લોકો સરગવો વધારે ખાવાનું પસંદ કરે છે, જેથી સ્વસ્થ રહી શકે. પ્રોટીનનો ભંડાર મનાતો સરગવો અનેક પ્રકારની ગંભીર બીમારીઓમાં ફાયદેમંદ હોય છો. જો કે કેટલાક લોકો માટે સરગવો હાનિકારક નીવડી શકે છે.

જે રીતે દરેક ફળ અને શાકભાજીના કેટલાક ગુણ હોય, તો તેની સાથે-સાથે અવગુણ પણ હોય જ છે. જેમાં સરગવો પણ બાકાત નથી. અંગ્રેજીમાં ડ્રમ સ્ટીક તરીકે ઓળખાતા સરગવામાં કાર્બ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ અને વિટામિન A, C અને B પુષ્કળ પ્રમાણમાં મલી આવે છે.

આ સાથે તેના કેટલાક અવગુણ છે. જેથી ખોટી રીતે સરગવો ખાવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કોણે સરગવો ના ખાવો જોઈએ…

લૉ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સરગવો ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. જે લોકોને લૉ બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય, તેમણે તબીબની સલાહ અનુસાર અથવા તો ખૂબ ઓછો સરગવો ખાવો જોઈએ.

સરગવાના પત્તાનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશર માટે કરવામાં આવે છે. આથી લો બ્લડ પ્રેશરમાં સરગવો ખાવાથી તમને ગંભીર સમસ્યા થઈ શકે છે.

પ્રેગ્નેન્સી અને માસિક ધર્મ દરમિયાન પણ સરગવો ખાવાનું ટાળવું જોઈએ. પ્રેગ્નેન્સીમાં સરગવો ખાવાથી ગર્ભપાતનો ખતરો વધી જાય છે. આથી પ્રેગ્નેન્ટ મહિલાઓને સરગવો ના ખાવાની સલાહ આપવામાં આવે છે.

આ સિવાય સરગવો વધુ પડતો ખાવામાં આવે, તો પિત્ત દોષ વધી શકે છે. આથી પીરિયડ્સ દરમિયાન સરગવો ખાવાથી બચવું જોઈએ.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

વધુ પડતો સરગવો ખાવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. જેના કારણે તમને તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે. સરગવામાં ઈસોથિયોસીયાનેટ અને ગ્લાઈકોસાઈડ સાયનાઈડ જેવા તત્વો મળી આવે છે. જે શરીર માટે વિષ સમાન માનવામાં આવે છે.

જે લોકોને બ્લીડિંગ ડિસઑર્ડરની સમસ્યા રહેતી હોય, તેમણે સરગવો ખાવાથી બચવું હિતાવહ છે. આવી સમસ્યામાં સરગવો ખાવાથી તમને અન્ય અનેક તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

ડિલીવરી (પ્રસુતિ) પછી તરત જ સરગવો ખાવાથી બચવું જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં તે નુકસાનદાયક નીવડી શકે છે. આથી ગર્ભાવસ્થા કે ડિલિવરી પછી પણ સરગવો ખાતા પહેલા તમારે તબીબીની સલાહ અચૂક લેવી જોઈએ.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment