ઇન્ડિયન રેલવે દ્વારા મુસાફરી દરમિયાનના કેટલાક નિયમો બનાવ્યા છે. જેમાં રાત વખતના નિયમ પણ અલગથી પાલન કરવાના રહે છે. જો આ નિયમનો ભંગ કરવામાં આવે તો તમારી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
રેલવેમાં મુસાફરી
ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા લોકો માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન ટ્રેનમાં મુસાફરી કરતા તમામ મુસાફરોએ કરવાનું રહે છે. કોઈપણ મુસાફર જે આ નિયમોનું પાલન કરતો નથી તેના પર રેલવે દ્વારા દંડ ફટકારવામાં આવે છે.

રાત્રીના નિયમ
દિવસ દરમિયાન મુસાફરી કરવા અંગે રેલવેએ મુસાફરો માટે અલગ નિયમો બનાવ્યા છે. તે જ સમયે, મુસાફરોએ રાત્રે મુસાફરી કરવા માટે અલગ અલગ નિયમોનું પાલન કરવું પડે છે. ચાલો તમને જણાવીએ કે રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ઉડસ્પીકર
રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘડિયાળનો કાંટો 10 પર જાય ત્યારે જ આ નિયમો લાગૂ થઈ જાય છે. રાત્રે 10 વાગ્યા પછી તમે ટ્રેનમાં લાઉડસ્પીકરમાં ફોન પર વાત કરી શકતા નથી. તમે તમારા ફોન પર ગીતો પણ વગાડી શકતા નથી.
મિડલ બર્થ ઓપન
આ સિવાય રાત્રે 10 વાગ્યા બાદ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમારે મિડલ બર્થ ઓપન કરવાનું રહે છે. ભલે તમને બેસવાનું મન થાય અને તમારી નીચે લોઅર બર્થ હોય. પરંતુ નિયમો મુજવ તમારે મિડલ બર્થ ખોલવો પડે છે જેથી બીજો મુસાફર આરામથી સૂઈ શકે.
ચાર્જિંગ પોઈન્ટ
બધી ટ્રેનોમાં ચાર્જિંગ પોઈન્ટ રાત્રે 11 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ નિયમ શોર્ટ સર્કિટ અને ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. એટલા માટે તમારા ફોનને પહેલાથી ચાર્જ કરો જેથી પછીથી કોઈ સમસ્યા ન થાય.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
લાઈટ
રાત્રે 10 વાગ્યા પછી ટ્રેનમાં કોઈપણ પ્રકારની લાઈટ કરી શકાતી નથી. તમે કોચના નાઇટ લેમ્પ અને ડિમ લાઇટ ચાલુ કરી શકો છો. પરંતુ જો તમે મુખ્ય લાઈટ ચાલુ કરો છો અને કોઈ મુસાફર ફરિયાદ કરે છે, તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.
TTE માટે પણ નિયમ
ટ્રેનમાં રાત્રે મુસાફરી કરવા માટે TTE માટે પણ નિયમ બનાવવામાં આવ્યો છે. રાત્રે 10 વાગ્યા બાદ તમારી ટિકિટ ચેક કરી શકાતી નથી. જો તમારી મુસાફરી 10 વાગ્યે શરૂ થઈ હોય તો TTE તમારી ટિકિટ ચેક કરી શકે છે.