સામાન્ય રીતે સવારે ઊઠતાં લોકો તાજગી અનુભવે છે, પણ જો તમને સવારે ઊઠતાં જ થાક, નબળાઈ કે આળસ લાગે છે, તો એ લિવર ડેમેજનો સંકેત હોઈ શકે છે. જાણો તેના લક્ષણો અને સાવચેતી.
લિવર ડેમેજનો સંકેત
લિવર આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. તેનું કામ ખોરાકને હજમ કરાવવું, ઝેરી તત્ત્વોને શરીરમાંથી બહાર કાઢવાં અને ઊર્જા સંચય કરવાનું છે. જોકે આધુનિક લાઈફસ્ટાઈલ, અસ્વસ્થ ખોરાક અને તણાવના કારણે લિવર સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે.

અનેક રીસર્ચમાં સામે આવ્યું છે કે લિવર ડેમેજના પ્રારંભિક લક્ષણો મુખ્યત્વે સવારે દેખાય છે, પણ 99 ટકા લોકો તેને સામાન્ય થાક કે નાની-મોટી તકલીફ માનીને અવગણન કરે છે.
ચામડી અને આંખોમાં પીળાશ
સવારે ઊઠતાં જો તમારી ચામડી કે આંખોની સફેદીમાં પીળાશ દેખાય તો એ લિવર ડેમેજનો ગંભીર સંકેત હોઈ શકે છે. રિસર્ચ મુજબ લિવર ખરાબ થવાના કારણે શરીરમાં બિલીરૂબિન (Bilirubin) નું પ્રમાણ વધી જાય છે, જેના કારણે ચામડી અને આંખો પીળા દેખાવા લાગે છે.
સવારનો થાક અને નબળાઈ
સામાન્ય રીતે લોકો સવારે ઊઠતાં તાજગી અનુભવે છે, પણ જો તમને સવારે જ થાક, નબળાઈ કે આળસ અનુભવાય તો એ લિવર ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે.
લિવર ખરાબ હોવાને કારણે શરીર પોષક તત્ત્વો યોગ્ય રીતે શોષી શકતું નથી, જેના કારણે ઊર્જા ની ઊણપ થાય છે. રિસર્ચ મુજબ 70% લિવર ડેમેજના દર્દીઓને સવારે અસામાન્ય થાકની ફરિયાદ રહે છે.
ઉબકા અને ઉલ્ટી
સવારે તમને જો ઉબકા અને ઉલ્ટી જેવુ લાગે તો એ પણ લિવર ડેમેજનું લક્ષણ હોઈ શકે છે. લિવર ખરાબ થવાથી પાચનતંત્ર અસરગ્રસ્ત થાય છે, જેના કારણે સવારે ઉલટી કે ઉબકા જેવુ અનુભવાઈ શકે છે. આ લક્ષણ ખાસ કરીને એવા લોકોમાં જોવા મળે છે, જેમને ફેટી લિવર કે સિરોસિસની શરૂઆત થઈ હોય.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ચહેરા પર સોજો
લિવર ખરાબ થવાને કારણે શરીરમાં પ્રોટીન અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડી જાય છે, જેના કારણે સવારે ચહેરો ફૂલેલો કે સુજેલો દેખાઈ શકે છે. રિસર્ચ મુજબ આ લક્ષણ લિવરમાં સોજો કે સિરોસિસના પ્રારંભિક તબક્કામાં જોવા મળે છે. જો તમારો ચહેરો દરરોજ સવારે સુજેલો લાગે છે, તો તેને અવગણશો નહીં.
મૂત્રનો રંગ બદલાઈ જવો
લિવર ડેમેજ થવાથી મૂત્રનો રંગ ઘાટો પીળો કે ભૂરો થઈ શકે છે. આ વધેલા બિલીરૂબિનના સ્તરથી થાય છે, જે લિવર ખરાબ થવાનો સ્પષ્ટ સંકેત છે. રિસર્ચમાં જણાયું છે કે ખાસ કરીને સવારે મૂત્રનો રંગ બદલાવો એ લિવર ડેમેજનું સામાન્ય લક્ષણ છે, જેને લોકો ઘણી વખત પાણીની ઊણપ કે અન્ય નાની તકલીફ માનીને અવગણન કરે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.