મોઢાના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રારંભિક તબક્કામાં તેનાથી કેવી રીતે બચી શકાય. આવો જાણીએ. તાજેતરમાં, મોઢાના કેન્સરનો દર ભયંકર સ્વરૂપ લઈ રહ્યો છે, મૃત્યુ દર પણ વધી રહ્યો છે. જો સમયસર સારવાર કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે.
જીવનની ગુણવત્તામાં ફેરફારને કારણે કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સંખ્યાની દ્રષ્ટિએ, સ્ત્રીઓના ગર્ભાશય અને સ્તન કેન્સર અને પુરુષોના ફેફસાના કેન્સર પછી મોઢાના કેન્સરના દર્દીઓ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.
સમયસર સારવાર લેવામાં આવે તો બચી શકાય
મોઢાનું કેન્સર જીભ, તાળવું, જીભની નીચે, ગાલની અંદર, હોઠ, પેઢા કે મોઢામાં ગમે ત્યાં થઈ શકે છે. મોઢાના કેન્સરના કારણોમાં ધુમ્રપાન, દારૂ પીવો, મસાલા, હળદર, તમાકુનું સેવન, વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવું, વારસાગત કેન્સર, દાંતનો સડો વગેરે જવાબદાર છે.

જો સમયસર સારવાર લેવામાં આવે તો તેમ તેનાથી બચી શકો છો. જો તમે મોઢામાં, ગળામાં, જીભમાં કોઈ ચિહ્નો અને લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
મોઢાના કેન્સરના લક્ષણોની વાત કરીએ તો લાંબા સમય સુધી ઉધરસ, ગળવામાં, બોલવામાં અથવા ચાવવામાં મુશ્કેલી. જડબા અથવા જીભને ખસેડવામાં મુશ્કેલી, ગળું અથવા મોંમાં દુખાવો જેવી કોઈ બાબતો ધ્યાનમાં આવે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
દિવસમાં બે વાર નિયમિતપણે બ્રશ કરો
જડબાની અંદરના ભાગમાં સફેદ અથવા લાલ ધબ્બા, અવાજમાં ફેરફાર, જેમ કે કર્કશતા,ગળું દબાઈ રહ્યું હોય એવી લાગણી, ચહેરાની નિષ્ક્રિયતા,જડબા અથવા ગરદન પર સોજો, નાકમાંથી વારંવાર રક્તસ્ત્રાવ થવો પણ આના લક્ષણો છે. આનાથી બચવા માટે દિવસમાં બે વાર નિયમિતપણે બ્રશ કરવું જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ગુટખા તથા તમાકુના ઉત્પાદનોનું સેવન બંધ કરી દેવું જોઈએ. સાથોસાથ સંતુલિત આહાર ખાવો જોઈએ. વધુ પડતા સૂર્યપ્રકાશથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. વર્ષમાં ઓછામાં ઓછા બે વાર ડેન્ટિસ્ટ પાસે તમારા મોં અને દાંતની તપાસ કરાવવી જોઈએ.
તાજા ફળો અને શાકભાજી પુષ્કળ ખાઓ
જો મોઢામાં કોઈ ચાંદા કે અલ્સર હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. તાજા ફળો અને રંગબેરંગી શાકભાજી પુષ્કળ ખાઓ. આ ખાદ્યપદાર્થો શરીરમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ વધારે છે. એન્ટિઓક્સિડન્ટ્સ અન્ય રોગોની વચ્ચે મોઢાના કેન્સરના જોખમને ઘણી હદ સુધી ઘટાડે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










