લોકોની ખાવા પીવાની આદત અને લાઈફસ્ટાઈલ ખરાબ થતી જાય છે જેના કારણે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. લાઈફ સ્ટાઈલના કારણે થતી સમસ્યાઓમાં સ્થૂળતા સૌથી સામાન્ય અને સૌથી વધારે જોવા મળતી સમસ્યા છે.
વજનમાં વધારો થવાથી દેખાવ બગડે છે એવું નથી, વજન વધી જાય તો ઘણી બધી ગંભીર બીમારીઓનું કારણ બને છે. જો તમારા શરીરમાં ચરબી વધી રહી હોય તો સમયસર તેને કંટ્રોલ કરવાનો ઉપાય શોધી લેવો જોઈએ.

જે લોકો વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે આજે એક મહત્વની જાણકારી શેર કરીએ. આજે તમને એવા લોટ વિશે જણાવીએ જે તમને વેટ લોસમાં મદદ કરી શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જે લોકોને પોતાનું વજન ઘટાડવું હોય તેમણે આહારમાં ઘઉંના લોટની રોટલીને બદલે આ લોટની રોટલી સામેલ કરવી જોઈએ. આ લોટ ઘઉંના લોટની સરખામણીમાં 20 ગણું ઝડપથી ફેટ બર્ન કરે છે.
ભારતીય લોકોનો મુખ્ય આહાર રોટલી છે. ઘણા લોકો તો સવારે નાસ્તાથી લઈને રાત્રે જમવા સુધીમાં રોટલી ખાવાનું પસંદ કરે છે. આપણે ત્યાં મોટાભાગે ઘઉંના લોટનો ઉપયોગ રોટલી બનાવવા માટે સૌથી વધારે થાય છે. પરંતુ જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે જવની રોટલી ખાવી જોઈએ.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે ઘઉંની સરખામણીમાં જવના લોટમાં ત્રણ ગણું વધારે પ્રોટીન, ચાર ગણું વધારે ફાઇબર અને 20 ગણી વધારે ફેટ બર્ન કરવાની ક્ષમતા હોય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ઘઉંના લોટમાં ગ્લુટન પણ હોય છે જે વજન વધારવાનું કામ કરે છે. જ્યારે ઘઉંના લોટમાં બીટા ગ્લુકોન હોય છે. જે ફેટ બર્નિંગ પ્રોસેસને વધારે છે. જવના લોટની રોટલી મેટાબોલીઝમ બુસ્ટ કરે છે જેના કારણે કેલેરી ઝડપથી બડે છે.
કઈ રીતે જોને ડાયટમાં સામેલ કરી શકાય
વજન ઘટાડવા માટે ઘઉંના લોટની રોટલીની જેમ જ જવના લોટની રોટલી બનાવીને ખાવી જોઈએ. રોટલી ઉપરાંત તમે પાણીમાં જવ પલાળીને પણ પી શકો છો. તેના માટે બે ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી જવ ઉમેરી આખી રાત રાખો.
બીજા દિવસે આ પાણીને બરાબર ઉકાળો. પાણી એક ગ્લાસ જેટલું બચે એટલે તેને ગાળીને પીવાનું રાખો. જવના લોટનો સમાવેશ ડાયેટમાં કરશો એટલે થોડા જ દિવસોમાં તમને શરીરમાં ફેરફાર દેખાવા લાગશે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.