આધાર કાર્ડમાં આ માહિતી માત્ર એક જ વખત સુધરી શકે, જો તમે આ ભૂલ કરશો તો તમારે ખોટી ઓળખ સાથે જીવવું પડશે…

WhatsApp Group Join Now

આધાર કાર્ડ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. ઘણી વખત, આધાર કાર્ડ માટે અરજી કરતી વખતે લોકો કેટલીક માહિતી ખોટી ભરી દે છે.

UIDAI આ ભૂલો સુધારવાની તક આપે છે, પરંતુ અમુક માહિતીમાં ફેરફાર કરવાની મર્યાદા છે. આધાર કાર્ડમાં કેટલીક માહિતી એવી છે જેમાં તમે વારંવાર ફેરફાર કરી શકો છો, જેમ કે સરનામું.

જો કે, કેટલીક મહત્વપૂર્ણ માહિતી એવી છે જેમાં ફેરફાર કરવાની તક ખૂબ જ ઓછી મળે છે. જો તમે આધાર કાર્ડ બનાવતી વખતે આ માહિતીમાં ભૂલ કરો છો, તો તે ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે.

સૌથી મહત્વની બાબત એ છે કે આધાર કાર્ડમાં જન્મ તારીખ અને લિંગ (જેન્ડર) જેવી માહિતી તમે માત્ર એક જ વાર બદલી શકો છો. જો તમે આધાર કાર્ડ બનાવતી વખતે ખોટી જન્મ તારીખ દાખલ કરી હોય, તો તેને સુધારવા માટે તમને ફક્ત એક જ તક મળશે.

જો આ તક ચૂકી જશો અથવા સુધારવામાં ભૂલ કરશો તો તમારે કાયમ માટે ખોટી જન્મ તારીખ સાથે જ આધાર કાર્ડનો ઉપયોગ કરવો પડશે.

એ જ રીતે, આધાર કાર્ડમાં લિંગ પણ ફક્ત એક જ વાર બદલી શકાય છે. જો તમારા આધાર કાર્ડમાં ભૂલથી ખોટું લિંગ નોંધાઈ ગયું હોય, તો તેને સુધારવા માટે પણ તમને માત્ર એક જ તક મળશે. જો તમે આ તકમાં પણ ભૂલ કરો છો, તો લિંગની માહિતી પણ કાયમ માટે ખોટી રહી જશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આથી, આધાર કાર્ડ બનાવતી વખતે અને માહિતી ભરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. ખાસ કરીને જન્મ તારીખ અને લિંગ જેવી માહિતી ચોક્કસાઈપૂર્વક ભરવી જોઈએ, કારણ કે આ માહિતીમાં સુધારો કરવાની તક ખૂબ જ મર્યાદિત છે.

UIDAIના આ નિયમોનો હેતુ આધાર કાર્ડમાં માહિતીની ચોકસાઈ જાળવવાનો છે, પરંતુ અરજદારોએ પણ સાવચેતી રાખવી અને પ્રથમ પ્રયાસમાં જ સાચી માહિતી આપવી જોઈએ.

WhatsApp Group Join Now

Leave a Comment