જેમ-જેમ ગરમીની સિઝન આવે છે એમ મચ્છરોનો આતંક વધતો જાય છે. આ વાતાવરણમાં મચ્છરો લોકોનું લોહી લેવા માટે તૈયાર હોય છે. સાંજ પડતાની સાથે મચ્છરો ઘરમાં ઘૂસી જાય છે અને પછી બહાર જવાનું નામ લેતા નથી.
મચ્છરો ભગાડવા માટે મોટાભાગનાં લોકો મોસ્કિટો રિફિલ લાવતા હોય છે. જો કે આ રિફિલ જલ્દી પૂરી થઈ જાય છે અને મોંઘી પણ આવે છે.આમ, તમે ઘરે પણ સરળતાથી રિફિલ બનાવી શકો છો. આ મોસ્કિટો રિફિલમાં કેમિકલનો ઉપયોગ થતો નથી જેનાં કારણે સ્કિનને લગતી એલર્જી થતી નથી. તો જાણો ઘરે કેવી રીતે આ રિફિલ બનાવશો.

મોસ્કિટો રિફિલ બનાવવાની રીત
મોસ્કિટો રિફિલ બનાવવા માટે કોકોનટ ઓઇલ અને કપૂરની જરૂર પડશે. સૌથી પહેલાં મોસ્કિટો રેપલેન્ટને કોઈપણ ખાલી રિફિલમાં નાખી દો. હવે આ રિફિલનું ઢાંકણ ખુલીને એમાં થોડું નારિયેળ તેલ ભરી દો. ત્યારબાદ તેલની ઉપર કપૂરનાં નાના-નાના ટુકડા ક્રશ કરી દો. હવે રિફિલને સારી રીતે હલાવો અને પછી બંધ કરી દો.
આ રીતે ઉપયોગ કરો
ઘરે નેચરલ વસ્તુઓથી તૈયાર કરવામાં આવેલી રિફિલને મોસ્કિટો રેપલેન્ટનાં મશીનમાં લગાવો. આ મશીનને ઓન કરીને થોડીવાર માટે રહેવા દો. ત્યારબાદ તમને પોઝિટિવ અસર જોવા મળશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નારિયેળ તેલ અને કપૂરનાં મિક્સરમાં રહેલાં તત્વો મચ્છરોને ભગાડવા માટે બેસ્ટ છે. આમ કરવાથી તમારા રૂમમાં એકપણ મચ્છર દેખાશે નહીં.
લીમડાનું તેલ લો
આ માટે એક ચમચી લીમડાનું તેલ, 4થી 5 કપૂરની ગોળીની જરૂર પડશે. સૌથી પહેલાં કપૂરની ગોળીનો ઝીણો ભૂકો કરી નાખો. હવે રિફિલ બોટલમાં લીમડાનું તેલ ભરો. તેમાં થોડું નાળિયેર પણ ઉમેરી દો. ત્યારબાદ તેમાં કપૂરનો પાઉડર ઉમેરો અને ઢાંકણું બંધ કરી હિટ મશીનમાં લગાવી દો.
કેમિકલ ફ્રી આ વસ્તુથી સ્કિનને કોઈ નુકસાન થતું નથી. આ સિવાય મચ્છરોથી બચવા માટે તમે ઘરનાં બારી-બારણાં સાંજના સમયે બંધ રાખો. આમ કરવાથી પણ ઘરમાં મચ્છર ઓછા આવશે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.