વધતી મોંઘરાવીના જમાનામાં બધુ મોંઘુ થઈ ગયું છે. તેવામાં પોતાના બાળકોને સારૂ શિક્ષણ અને સ્વાસ્થ્ય આપવું સરળ વાત નથી. કેન્દ્ર સરકારે તેને ધ્યાનમાં રાખતા એક નવી સ્કીમ શરૂ કરી હતી, જેના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને સરળતાથી 10 લાખ સુધીની લોન મળી શકે છે.
આ સ્કીમનું નામ પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી સ્કીમ (PM Vidya Laxmi Scheme) છે. આ સ્કીમ હેઠળ બાળકોના અભ્યાસ માટે કેન્દ્રના 10થી વધુ મંત્રાલયો અને વિભાગોની સ્કોલરશિપ સ્કીમ દ્વારા પૈસા અપાવવામાં આવે છે.

ઈન્ડિયન બેંક એસોસિએશન પ્રમાણે આ યોજના હેઠળ છાત્ર પોર્ટલ દ્વારા 34 બેંકની 22 પ્રકારની લોનનો ફાયદો ઉઠાવી શકે છે. તો 10 લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજમાં 3 ટકા સુધીની છૂટ મળે છે.
આવો જાણીએ શું છે આ સ્કીમ? આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે શું છે શરતો? કઈ રીતે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન અને આ સ્કીમ દ્વારા કઈ રીતે અરજી કરી શકો છો.
પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના શું છે?
પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના વાસ્તવમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નું વિસ્તરણ છે. મોદી સરકારે આ યોજના 2024 માં શરૂ કરી હતી. આ અંતર્ગત, ઉચ્ચ શિક્ષણમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નાણાકીય મદદ આપવામાં આવશે.
લોન મર્યાદા શું છે?
આ યોજનામાં લોનની કોઈ ઉપલી મર્યાદા નક્કી કરવામાં આવી નથી. લોનની ઉપલી મર્યાદા વાસ્તવમાં કોર્સ ફી, હોસ્ટેલ ફી, સાધનો પરનો ખર્ચ, ખોરાકનો ખર્ચ, ટ્યુશન ફી વગેરે ઉમેરીને નક્કી કરવામાં આવે છે.
આ લોનમાં પુસ્તકો, મુસાફરી અને અન્ય ખર્ચાઓનો પણ સમાવેશ થાય છે. ઉચ્ચ શિક્ષણ માટે લેવામાં આવેલી લોન નિશ્ચિત સમયગાળામાં પરત કરવાની હોય છે, જેમાં વ્યાજ જોડાયેલું હોય છે. પરંતુ આ લોનમાં તમને વ્યાજ પર 3% ડિસ્કાઉન્ટ પણ મળશે.
આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે?
કોઈપણ ભારતીય પીએમ વિદ્યા લક્ષ્મી યોજના માટે અરજી કરી શકે છે. જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે અને જેઓ પહેલાથી જ કોઈ સરકારી શિષ્યવૃત્તિનો લાભ લઈ રહ્યા નથી તેઓ આ યોજના માટે અરજી કરવા પાત્ર છે.
4.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના બાળકોને પહેલાથી જ સંપૂર્ણ વ્યાજમુક્ત સહાય મળી રહી છે. આ યોજના 860 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લે છે.
બજારમાં ઉપલબ્ધ શિક્ષણ લોનથી વિદ્યા લક્ષ્મી કેટલી અલગ છે?
અત્યાર સુધી, વિદ્યાર્થીઓને શિક્ષણ લોન માટે બેંકોની મુલાકાત લેવી પડે છે. લોન પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. ઘણું કાગળનું કામ કરવું પડે છે. ગેરંટરની પણ જરૂર પડે છે. પરંતુ, વિદ્યા લક્ષ્મી યોજનામાંથી લોન લેવાની પ્રક્રિયા ઓનલાઈન છે. તેથી, તેમાં ખૂબ જ ઓછું કાગળનું કામ છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો કોઈ વિદ્યાર્થીને પોર્ટલ પરથી લોન માટે અરજી કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તે સીધો બેંકનો સંપર્ક કરી શકે છે. બેંકો તરફથી શિક્ષણ લોન પર વ્યાજ દરમાં કોઈ છૂટ નથી, પરંતુ વિદ્યા લક્ષ્મી યોજના હેઠળ લેવામાં આવેલી 10 લાખ રૂપિયા સુધીની લોનના વ્યાજ પર 3% સુધીની છૂટ મેળવી શકાય છે.
વિદ્યા લક્ષ્મી સ્કીમમાં કયા કોર્સ માટે મળે છે લોન?
આ સ્કીમ હેઠળ એન્જિનિયરિંગ, મેડિકલ કોર્સ, મેનેજમેન્ટ કોર્સ માટે લોન આપવામાં આવે છે.
ડિફોલ્ટર થવા પર શું થશે?
વિદ્યા લક્ષ્મી પોર્ટલ દ્વારા વિદ્યાર્થી કોઈપણ બેંકમાંથી એજ્યુકેશન લોન માટે અરજી કરી શકે છે. ડિફોલ્ટરની સ્થિતિમાં દરેક બેંકના પોતાના નિયમ છે, તે પ્રમાણે કાર્યવાહી થઈ શકે છે.
આ યોજના હેઠળ લોન મંજૂરી અને વિતરણમાં કેટલો સમય લાગે છે?
ઇન્ડિયન બેંકિંગ એસોસિએશનની માર્ગદર્શિકા અનુસાર, વિદ્યા લક્ષ્મી યોજના દ્વારા શિક્ષણ લોન અરજી મળ્યાના 15 દિવસની અંદર મંજૂર કરવામાં આવે છે. એકંદરે, લોનની રકમ તમને 20 દિવસમાં વિતરિત કરવામાં આવે છે.
લોન લેવા માટે કયા દસ્તાવેજની જરૂર પડશે?
આ સ્કીમ હેઠળ લોન લેવા માટે આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ, જે સંસ્થામાં પ્રવેશ લેવાનો છે તેનો લેટર, અપ્રૂવલ લેટર, ધોરણ 10 અને 12ની માર્કશીટ, બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ ફોટો, બેંક વિગત અને પરિવારની આવકના સર્ટિફિકેટની જરૂર પડશે.
વિદ્યા લક્ષ્મી સ્કીમમાં શિક્ષણ લોન માટે કઈ રીતે કરશો અરજી?
વિદ્યા લક્ષ્મી યોજનામાં શિક્ષણ લોન માટે અરજી કરવા માટે, તમારે પહેલા નોંધણી કરાવવી પડશે. આ પછી તમને એક ID મળશે. પછી તમારે આ ID વડે પોર્ટલ પર લોગિન કરવું પડશે.
આ પછી, ફોર્મ ડાઉનલોડ કરો અને તેમાં સાચી માહિતી ભરો. જરૂરી દસ્તાવેજો જોડો અને તેને બેંકમાં સબમિટ કરો. બેંક દસ્તાવેજો અને અન્ય માહિતીની ચકાસણી કરશે. જો બધી માહિતી સાચી જણાશે, તો તમારી અરજી મંજૂર કરવામાં આવશે. ત્યારબાદ લોન મંજૂરીનું કામ શરૂ થશે.