ઉનાળામાં ઘણીવાર યૂરિનમાંથી ખરાબ ગંધ આવવા લાગે છે. આ દુર્ગંધ કેમ આવે છે? શું આ કોઈ બીમારીનું લક્ષણ છે કે પછી કોઈ બીજું કારણ છે જેના કારણે આવું થાય છે? યૂરિનમાંથી દુર્ગંધ આવવી ઘણીવાર સામાન્ય પણ હોઈ શકે છે અને કેટલીકવાર ગંભીર બીમારીનું પણ લક્ષણ હોઈ શકે છે.
ઉનાળામાં ઘણીવાર ડિહાઇડ્રેશન ના કારણે યૂરિનમાંથી ગંધ આવવા લાગે છે. ઉપરાંત, કેટલાક ખોરાકના વધુ સેવનથી પણ યૂરિનમાંથી દુર્ગંધ આવતી હોય છે.

કેટલીક દવાઓના કારણે પણ આવું થઈ શકે છે. પરંતુ, યૂરિનમાંથી દુર્ગંધ આવવાનું હંમેશા આ કારણોસર નથી થતું. કેટલીકવાર આ કોઈ બીમારીનો પણ સંકેત હોઈ શકે છે. ઘણીવાર તેના પાછળ કેટલીક સામાન્ય બિમારીઓ હોઈ શકે છે, પણ કેટલીકવાર ગંભીર બીમારીઓના કારણે પણ આવું થઈ શકે છે.
યૂરિન ઇન્ફેકશન હોય શકે
યૂરિનમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા ઘણીવાર ઉનાળામાં જોવા મળે છે. ડિહાઇડ્રેશન થવાથી યૂરિનમાંથી દુર્ગંધ આવે છે, પણ એ થોડા સમય માટે જ હોય છે. જો યૂરિનમાંથી સતત દુર્ગંધ આવી રહી હોય તો તે કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે.
યૂરિનમાંથી સતત દુર્ગંધ આવવા પાછળ ડાયબિટીસ, યૂરિન ઇન્ફેકશન અને કિડનીની કોઈ બીમારી હોઈ શકે છે. જો સતત યૂરિનમાં દુર્ગંધ આવી રહી હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
આ છે યૂટીઆઈના લક્ષણો
યૂરિનમાંથી દુર્ગંધ આવવા પર કેટલાક બીજા લક્ષણો પણ જોવા મળે છે. જેમાં યૂરિનમાંથી દુર્ગંધ સાથે યૂરિન ઘટ્ટ દેખાવું, એમોનિયા જેવી ગંધ આવવી, પેશાબ કરતી વખતે દુઃખાવો અને તાવ આવવો.
જો આવા લક્ષણો પણ જોવા મળી રહ્યા હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ યૂટીઆઈ અને કિડનીની બીમારીઓના લક્ષણ હોઈ શકે છે. જો આવા લક્ષણો દેખાય છે તો કોઈપણ રીતે અવગણના કરવી જોઈએ નહીં. આવી સ્થિતિમાં તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
આ ગંભીર સમસ્યા થઈ શકે છે
યૂરિનમાંથી દુર્ગંધ આવવાની સમસ્યાને હળવામાં લેવી જોઈએ નહીં. જો આ યૂરિન ઇન્ફેકશનના કારણે છે તો આગળ જઈને આ ઇન્ફેકશન કિડની સુધી પણ પહોંચી શકે છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો જોઈએ.
ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ?
- યૂરિનમાં સતત દુર્ગંધ રહે છે.
- પેશાબ કરતી વખતે દુઃખાવો થાય છે.
- યૂરિન ધૂંધળું, લાલ કે દુર્ગંધયુક્ત હોય.
- તાવ કે કમરના ભાગમાં દુઃખાવો અનુભવાય.
- ડાયબિટીસના દર્દી હોય અને યૂરિનમાં અસામાન્ય ગંધ આવે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
યૂરિનમાંથી દુર્ગંધ આવવી ઘણીવાર ડિહાઇડ્રેશન, આહાર કે દવાઓના કારણે સામાન્ય હોય છે, પરંતુ જો હંમેશા દુર્ગંધ રહે અથવા સાથે અન્ય લક્ષણો જોવા મળે તો તે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.