Vastu Tips: ભૂલથી પણ આ દિશામાં બેસીને ભોજન ન કરવું, ઘરમાં આવશે દરિદ્રતા અને તરક્કી પર લાગી જશે બ્રેક!

WhatsApp Group Join Now

Vastu Tips for Food: વાસ્તુ શાસ્ત્ર એક પ્રાચીન વિજ્ઞાન છે જે આપણાં સ્વાસ્થ્ય પર ઉંડો પ્રભાવ પાડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણે ખોટી દિશામાં ભોજન કરવા બેસીએ છીએ તો આ સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે.

જેટલું આપણાં શરીર માટે ભોજન જરૂરી છે એમ એટલું જ તમે કયા સ્થાન પર બેસીને જમો છો એ મહત્વનું છે. જીવનમાં સફળતા અને શુભ ફળ ઇચ્છો છો તો સાચી દિશામાં બેસીને ભોજન કરવું જરૂરી છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક દિશામાં અલગ-અલગ પ્રકારની ઉર્જા હોય છે. આમ, તમે સાચી દિશામાં બેસીને ભોજન કરો છો તો આ ઉર્જા તમારા પક્ષમાં કામ કરે છે. તો જાણો આ વિશે વાસ્તુશાસ્ત્રી ધર્મેન્દ્ર કુમાર શર્મા શું કહે છે…

પૂર્વ દિશા

તમે પૂર્વ દિશા બાજુ મોં કરીને ભોજન કરો છો તો મગજ તેજ થાય છે અને પાચન તંત્ર મજબૂત થાય છે. આ સાથે માનસિક સ્ટ્રેસ ઓછો થાય છે. મગજને ઉર્જા મળે છે. આ દિશા ઘરડા લોકો માટે સૌથી ફાયદાકારક છે. જે લોકોને પેટને લગતી તકલીફ છે એમને પૂર્વ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ.

પશ્ચિમ દિશા

પશ્ચિમ દિશાને લાભની દિશા કહેવામાં આવે છે. આ દિશામાં બેસીને ભોજન કરવાથી તરક્કીનાં માર્ગ ખુલી જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશા બિઝનેસ, નોકરી, લેખન, રિસર્ચ અને શિક્ષા સાથે જોડાયેલા લોકો માટે શુભ માનવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ દિશામાં બેસીને ભોજન ન કરો

આ દિશાને સૌથી અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશા યમરાજની દિશા હોય છે. આ દિશામાં બેસીને ભોજન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. પરિવારમાં ક્લેશ વધે છે અને તરક્કીમાં બ્રેક લાગી જાય છે. ખાસ કરીને જે લોકોનાં માતા-પિતા જીવિત છે એમને આ દિશામાં બેસીને ખાવું જોઈએ નહીં.

ડાઇનિંગ રૂમની સાચી દિશા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ડાઇનિંગ રૂમ હંમેશા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. આ દિશાને શુભ માનવામા આવે છે. આ દિશામાં બેસીને ભોજન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આ સાથે સ્વાસ્થ્ય સારું રહે છે અને ધનની કમી થતી નથી.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

WhatsApp Group Join Now

Leave a Comment