× Special Offer View Offer

વાસ્તુ ટીપ્સ: ફ્રીજ ઉપર આ 5 વસ્તુઓ રાખવાથી આવે છે ગરીબી, સમયસર જાણી લો નહીંતર થશે ભારે નુકશાન…

WhatsApp Group Join Now

Vastu Tips For Fridge : ઘણા લોકોને કેટલીક વસ્તુઓ ફ્રીજ ઉપર રાખવાની આદત હોય છે. ઘર કે કારની ચાવી હોય કે પછી અન્ય કોઈ વસ્તુ વિચાર્યા વગર ફ્રીજ ઉપર મુકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રીજ ઉપર વસ્તુઓ રાખવા અંગે વાસ્તુશાસ્ત્રમાં ખાસ સાવચેતી રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વાસ્તુ અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેને ફ્રીજની ઉપર રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને આર્થિક સમસ્યાઓ પણ થાય છે.

ફ્રીજ ઉપર છોડ ના રાખવો

ઘણીવાર લોકો ડેકોરેશન માટે રેફ્રિજરેટરની ઉપર નાના છોડ રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ફ્રીજ ઉપર કોઈપણ પ્રકારનો છોડ રાખવો શુભ માનવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં અશાંતિ અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે.

ટ્રોફી અને પુરસ્કારો પણ ના રાખો

ટ્રોફી અને પુરસ્કારો આપણા માટે ગર્વની વાત છે અને આપણે તેને દરેકને બતાવવા માંગીએ છીએ. પરંતુ તેને ફ્રીજની ઉપર રાખવું વાસ્તુ અનુસાર યોગ્ય નથી માનવામાં આવતું. વાસ્તુ અનુસાર ફ્રિજની ઉપર ટ્રોફી અથવા એવોર્ડ રાખવાથી પૈસાની ખોટ થઈ શકે છે અને વ્યક્તિને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ફિશ એક્વેરિયમ પણ ના રાખો

કેટલાક લોકો શુભ સંકેત માટે ઘરમાં ફિશ એક્વેરિયમ રાખે છે અને જગ્યાના અભાવે તેને ફ્રિજની ઉપર મુકી દે છે. પરંતુ તમારે આ કરવાનું ટાળવું જોઈએ. વાસ્તુ અનુસાર આનાથી ઘરમાં ઉદાસી અને તણાવ તો વધે જ છે પરંતુ ફિશના જીવને પણ જોખમ વધી શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પૈસા અને સોનાની વસ્તુઓ ના રાખો

વાસ્તુ અનુસાર ફ્રિજની ઉપર ક્યારેય રોકડ, સિક્કા કે સોના-ચાંદીની વસ્તુઓ ન રાખવી જોઈએ. તેનાથી ધનની હાનિ થઈ શકે છે અને દેવી લક્ષ્‍મી નારાજ થઈ શકે છે.

દવાઓ રાખવાનું ટાળો

ઘણા લોકો ફ્રિજની ઉપર દવાઓ રાખે છે જેથી તે ઝડપથી મળી જાય, પરંતુ આ ના તો સ્વાસ્થ્ય માટે સારું છે અને ના તો વાસ્તુ અનુસાર. કહેવાય છે કે ગરમ જગ્યાએ દવાઓની અસર ખતમ થઈ જાય છે અને નકારાત્મક ઉર્જા પણ વધે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

WhatsApp Group Join Now

Leave a Comment