મહાભારત કાળના મહાત્મા વિદુર તેમની દૂરંદેશી અને તીક્ષ્ણ બુદ્ધિ માટે જાણીતા હતા. વિદુર નીતિ વર્તમાન યુગમાં પણ ખૂબ જ સુસંગત છે. તેમણે પોતાની નીતિઓમાં માનવજાતના કલ્યાણ માટે ઘણી મહત્વની વાતો કહી હતી.
રાજા ધૃતરાષ્ટ્ર લગભગ તમામ વિષયો પર વિદુરનો અભિપ્રાય લેતા હતા. તેઓ હસ્તિનાપુરના કાર્યક્ષમ મહામંત્રી હતા. કહેવાય છે કે મહાભારત યુદ્ધ પહેલા મહાત્મા વિદુર અને ધૃતરાષ્ટ્ર વચ્ચે જે વાર્તાલાય થયો, તેને વિદુર નીતિના નામથી ઓળખવામાં આવે છે.

વિદુરે એક મૂર્ખ વ્યક્તિનાં ચાર ચિહ્નો આપ્યાં હતાં. અહીં અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે જીવનમાં છેતરપિંડી અને નુકસાનથી બચવા માંગતા હો, તો તેમને ઓળખો અને આવી વ્યક્તિથી અંતર રાખો. કારણ કે આવી વ્યક્તિઓ તમને પતન તરફ દોરી શકે છે.
હંમેશા ગુસ્સો કરનાર વ્યક્તિ
મહાત્મા વિદુરે પોતાની નીતિમાં મૂર્ખ લોકોની નિશાનીનો ઉલ્લેખ કર્યો હતો. તેમના મતે, જે લોકો હંમેશાં બિનજરૂરી રીતે ગુસ્સે રહે છે, તે મહાન મૂર્ખ હોય છે.
આવા લોકો વારંવાર પોતાનો ગુસ્સો બીજા પર ઠાલવે છે. તેઓ પોતે કોઈ કામના નથી, પરંતુ જ્યારે કોઈ પણ કામ ખોટું થઈ જાય છે, ત્યારે તેઓ પોતાનો ગુસ્સો સામેની વ્યક્તિ પર કાઢી નાખે છે. આવા લોકો મૂર્ખ હોય છે. તેમનાથી દૂર રહેવું જોઈએ.
અન્ય લોકોમાં દોષ અવગુણ શોધનાર
વિદુર નીતિમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો હંમેશાં બીજાને જોઈને ઈર્ષ્યા કરે છે અને તેઓ જે પણ કરે છે તેમાં ભૂલો શોધી કાઢે છે તે મૂર્ખ છે. તેમનું વર્તન હંમેશા અન્ય લોકો માટે કડવું હોય છે. તેઓ કોઈને જોઈ ખુશ થતા નથી. તમારે આવા લોકોથી અંતર રાખવું જોઈએ. જ્યારે પણ તમને જીવનમાં તક મળે ત્યારે તેઓ તમને છેતરી શકે છે.
ધાર્મિક વિધિઓ ન કરનાર
વિદુરના મતે જે લોકો ક્યારેય કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ નથી કરતા તેમને પણ મૂર્ખ માનવામાં આવે છે. જે લોકો પોતાના માતા-પિતા કે પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ નથી કરતા કે પોતાની શાંતિ માટે કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ નથી કરતા, આવા લોકો મૂર્ખની શ્રેણીમાં આવે છે. કહેવાય છે કે આ લોકો જીવનભર દુઃખી રહે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સાચા મિત્રો પોતાની સાથે ન રાખનાર
જો તમે જીવનમાં છેતરપીંડિ કે નુકસાનથી બચવા માંગો છો, તો એવા લોકોથી દૂર રહો જેમના કોઈ સાચા મિત્રો નથી. કારણ કે આવા લોકો ખૂબ જ દુષ્ટ અને સ્વાર્થી હોય છે, તેઓ તમારી સાથે પણ ખોટું કરી શકે છે. મહાત્મા વિદુરે પણ આ લોકોને મૂર્ખ ગણાવ્યા છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.