ભારતમાં વજન ઘટાડનારી દવા લોન્ચ , ડેન્માર્ક કંપનીએ કરી તૈયાર, જાણો તેની કિંમત?

WhatsApp Group Join Now

Weight Loss Medicine: આજના સમયમાં મેદસ્વીપણા એક મોટી સમસ્યા છે, જેનાથી ડાયાબિટીસથી લઇને હૃદયના રોગોનું કારણ બને છે.

લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ડેન્માર્કની ડ્રગ કંપની નોવો નોર્ડીસ્કે (Novo Nordisk) એ મંગળવારે ભારતમાં તેની વજન ઘટાડવાની દવા લોન્ચ કરી છે. તેનું નામ વેગોવી (Wegovy) છે, જે એક ઇન્જેક્ટેબલ સેમાગ્લૂટાઈડ છે.

દવા વિવિધ ડોઝમાં ઉપલબ્ધ છે

સપ્તાહમાં એક વખત લેવામાં આવનારી ગ્લુકોગન જેવા પેપ્ટાઇડ -1 રીસેપ્ટર એગોનિસ્ટ (GLP-1 RA) વેગોવી વેઇટ મેનેજમેન્ટ કરનારી ભારતમાં પહેલી અને એકમાત્ર દવા છે, જે લાંબા ગાળાના ક્રોનિક વેઇટ મેનેજમેન્ટ અને મેજર એજવર્સ કાર્ડિયોવાસ્ક્યુલર ઇવેન્ટ્સ (એમએસીઇ) નું જોખમ ઘટાડે છે.

તે એક પેન જેવું દેખાતું ડિવાઇસ છે જેનો ઉપયોગ કરવો સરળ છે. તે વિવિધ ડોઝમાં ઉપલબ્ધ છે- 0.25 મિલિગ્રામ, 0.5 મિલિગ્રામ, 1 મિલિગ્રામ, 1.7 મિલિગ્રામ અને 2.4 મિલિગ્રામમાં ઉપલબ્ધ છે.

કિંમત કેટલી છે?

આ દવા 0.25 મિલિગ્રામ, 0.5 મિલિગ્રામ અને 1 મિલિગ્રામ માટે પેન દીઠ 17,345 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે 1.7 મિલિગ્રામની કિંમત પેન દીઠ 24,280 છે અને 2.4 મિલિગ્રામની કિંમત પેન દીઠ 26,015 છે.

કંપનીએ કહ્યું છે કે તે એક પ્રેસક્રિપ્શન ઓનલી મેડિસિન છે. એટલે કે તેના માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી રહેશે. વાગોવી મેદસ્વીપણા અથવા વધુ વજનથી પીડિત લાખો ભારતીયોનું વજન ઘટાડીને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે.

વેગોવી કેવી રીતે કાર્ય કરે છે?

INDIABના અધ્યયન મુજબ ભારતમાં વધુ વજન અને મેદસ્વીપણાની ત્રીજી સૌથી મોટી વસ્તી છે. અહીં સામાન્ય સ્થૂળતાથી પીડાતા લોકોની સંખ્યા 254 મિલિયન છે, જ્યારે પેટના મેદસ્વીપણાથી પીડિત 351 મિલિયન લોકો છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

વાગોવી એ એક પ્રકારનાં પ્રોટીનનો જીએલપી -1 રીસેપ્ટર છે. આ ભૂખને ઘટાડે છે અને ક્રેવિંગ્સને સમાપ્ત કરે છે. આખરે તેની અસર વજન પર દેખાવાનું શરૂ થાય છે. આ ઇન્સ્યુલિન પ્રતિકારને પણ સુધારે છે, જે કાર્ડિયોમેટાબોલિક સિસ્ટમમાં સુધારો કરે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment